Chapter Chosen

સ્વાતંત્ર્યોત્તર ભારત

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
ટુંકનોંધ લખો. 
રાજ્ય પુનરચનાપંચની ભલામણો  

1 ઑક્ટોબર, 1953ના રોજ વર્ગના ચેન્નાઈ રાજ્યમાંથી ભાષાના ધોરણે આંધ્ર પ્રદેશના નવા રાજ્યની રચના કરવામાં આવી. એ પછી ભાષાના ધોરણે રાજ્યોની નવેસરથી રચના કરવાની માંગણી આખા દેશમાં થવા લાગી.

આથી કેન્દ્ર સરકારે રાજ્યોની પુનરચનાના પ્રશ્નનો અભ્યાસ કરી જરૂરી ભલામણો કરવા ઈ.સ. 1953માં સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તી ફઝલઅલીના અધ્યક્ષપદે ‘રાજ્ય પુરરચનાપંચ’ની નિમણુક કરી. હદયનાથ કુંઝરું અને કે.એમ. પાનિકરને એ પંચના સભ્યો તરીકે નિમ્ણૂક કરવામાં આવી. સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોની પ્રજાના અભિપ્રાયો, મંતવ્યો, રજુઆતો, મુલાકાતો તેમજ પત્રવ્યવહાર દ્વારા સૂચનો મેળવી રાજ્ય પુનરચના પંચે તેનો અહેવાલ 30 સપ્ટેમ્બર, 1955ના રોજ કેન્દ્ર સરકારને સોંપ્યો.

સંસદમાંએ અહેવાલની વિગતવાર ચર્ચા કરવામાં આવી. સંસદે રાજ્યોની પુનરચના કરવા માટે ભારતના બંધારણમાં સુધારો કરતો ખરડો પસાર કર્યો.

એ ખરડાને રાષ્ટ્રપ્રમુખની મંજૂરે મળતાં 1 નવેમ્બર, 1956થી તેનો અમલ કરવામાં આવ્યો.

રાજ્ય પુનરચનાપંચની ભલામણો મુજબ દેશનાં ચાર પ્રકારના રાજ્યો રદ કરવામાં આવ્યાં અને 14 ઘટકરાજ્યો અને 5 કેન્દ્રશાસિત સંઘપ્રદેશોમાં રાજ્યોની પુનરચના કરવામાં આવી.

એ ચૌદ પૈકી મોટા ભાગનાં રાજ્યોની રચના ભાષાના ધોરણે કરવામાં આવી હતી.


Advertisement

આઝાદી પછી ભારત સમક્ષ કયા બે મુખ્ય પ્રશ્નો તાત્કાલિક ઉભા થયા ?


ટુંકનોંધ લખો. 
જુનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ 

આજે ભારતીય સંઘ માં ................. રાજ્યો છે.


બંધારણનો અમલ શરૂ થયો ત્યારે ભારતમાં કેટલા વર્ગનાં રાજ્યો હતા ? કયા કયા ? 

ટુંકનોંધ લખો. 
કશ્મીરનો પ્રશ્ન 


Advertisement