Chapter Chosen

1945 પછીનું વિશ્વ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ટુંકનોંધ લખો.
જર્મન ચમત્કાર


‘ઠંડા યુદ્ધ’ નાં મુખ્ય કારણો સંક્ષેપમાં જણાવો. 

Advertisement

ભારત અને યૂ.એસ.એ. વચ્ચેના સંબંધોની સંક્ષેપમાં ચર્ચા કરો. 


ભારત અને યુનાઈટેડ સ્ટૅટસ બંને લોકશાહી ધરાવતા દેશો છે. ભારત અને યુનાઈટેડ સ્ટેટસ બંને લોકશાહી દેશો છે. ભારત અને યુનાઈટેડ સ્ટેટસ વચ્ચે અનેક સમાનતાઓ હોવા છતાં છેલ્લા પાંચ દાયકા દરમિયાન તેમની વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર ચડાવ-ઉતાર આવ્યા છે.

આઝાદી મેળવ્યા પછી ભારત પોતના નેતૃત્વ હેઠળના ‘લોકશાહી સત્તાજૂથ’માં જોડાઈ જશે એવી યુનાઈટેડ સ્ટેટસની અપેક્ષા હતી. પરંતુ, ભારતે કોઈ સતાજુથમાં જોડાવાને બદલે ‘બિનજોડાણવાદી નીતિ’ અપનાવી. ભારતનો આ નિર્ણય મહસત્તા યુનાઈટેડ સ્ટેટસને ગમ્યો નહિ. તેથી ભારત અને યુનાઈટેડ સ્ટેટસ વચ્ચેના સબંધો બંધાયા નહિ.

પાકિસ્તાન યુનાઈટેડ સ્ટેટસના નેતૃત્વ હેઠળના સત્તાજૂથ અને લશ્કરી સંગઠનમાં જોડાયું હતું આથી યુનાઈટેડ સ્ટેટસે જમ્મુ-કાશ્મીરના પ્રશ્ને હંમેશા પાકિસ્તાનનું સમર્થન કર્યું છે.

યુનાઈટેડ સ્ટેટસની પાકિસ્તાનનો પક્ષપાત કરવાની નીતિને કારણે બંને દેશો વચ્ચે સારા સબંધો બંધાયા નહિ.

યુનાઈટેડ સ્ટેટસના પ્રભાવ હેઠળ ઘડાયેલી ‘પરમાણુ બિનપ્રસાર સંધિ’ અને ‘સર્વાગ્રાહી પરમાણુ પરિક્ષણ પ્રતિબંધ સંધિ’પર ભારત હસ્તાક્ષર કરે એવો યુનાઈટેડ સ્ટેટસે આગ્રહ રાખ્યો છે. પરંતુ એ બંને સંધિઓ ભેદભાવયુક્ત અને પોતાનાં રાષ્ટ્રીય હિતોને નુકશાનકર્તા હોવાથી ભારતે તેની પર હસ્તાક્ષર કર્યા નહિ. પોતાના ઈરાદાઓ અને આગ્રહની અવગણના થતાં યુનાઈટેડ સ્ટેટસ ભારત પર નારાજ થયું. જ્યારે ઈ.સ. 1998માં ભારતે પોખરણ ખાતે સફળ પરમાણુ અખતરો કર્યો ત્યારે યુનાઈટેડ સ્ટેટસ ભારત પર છંછેડાયું અને તેણે ભારત સામે કેટલાક પ્રતિબંધો મૂક્યાં. પરિણામે બંને દેશો વચ્ચે મતભેદો થયાં.

11 સપ્ટેમ્બર, 2001ના દિવસે યુનાઈટેડ સ્ટેટસના ન્યુ યૉર્ક શહેરમાં આવેલા વર્લ્દ ટ્રેડ સેન્ટર પર થયેલા વિનાશક આતંકવાદી હુમલામાં બનાવ પછી યુનાઈટેડ સ્ટેટસ અને ભારત વચ્ચેનાં સંબંધોમાં નોંંધપાત્ર સુધારો થયો છે.

સપ્ટેમ્બર, 2014 અને 2015માં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની મુલાકાત લીધી હતી અને સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાને પણ સંબોધી હતી. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાં ભારતના 66માં પ્રજાસત્તાકદિનના સમારોહના મુખ્ય અતિથી બની ભારતની મુલાકાતે આવ્યા હતા. ભારતીય ગણતંત્રદિવસમાં ભાગ લેનારા તેઓ અમેરિકાના પ્રથમ પ્રમુખ હતા. આમ, ભારત અને યુ.એસ.એ. વચ્ચે સુમેળભર્યા સંબંધો આગળ વધી રહ્યા છે.


Advertisement

ટુંકનોંધ લખો.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન 


પરમાણુ શસ્ત્રો અને મિસાઈલો 

Advertisement