Chapter Chosen

1945 પછીનું વિશ્વ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ટુંકનોંધ લખો.
જર્મન ચમત્કાર


Advertisement

ટુંકનોંધ લખો.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન 


સ્વતંત્ર થયા પછી ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો છે. વિશ્વમાં સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ, કાળા-ઓરા વચ્ચેનો રંગભેદ વગેરે દૂષણો નાબૂદ કરવા તેમજ તેની સામે ચાલતી ચળવળોને ભારતે હંમેશા ટેકો આપ્યો છે.

સંયુક્ત રાષ્ટ્રોના આદેશથી ભારતે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની તબીબી સારવાર માટે દવાઓ અને તબીબી ટુકડીઓ મોકલી હતી. ગાઝા, સાયપ્રસ, કૉંગો, શ્રીલંકા વગેરેમાં સર્જાયેલી કટોકટી વખતે સંયુક્ત રાષ્ટ્રોના શાંતિ સ્થાપક દળોમાં ભારતે પોતાના સૈનિકોને મોકલીને એ દેશોમાં શાંતિ સ્થાપવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

અંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતિ જાળવવાના તેમજ સમગ્ર વિશ્વના લોકોના સ્વાતંત્ર્ય અને સુખસમૃદ્ધિ માટેના તમામ પ્રયત્નોમાં ભારતે સંપૂર્ણ સહકાર આપ્યો છે.

સંયુક્ત રાષ્ટ્રોની મહાસહામાં પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણનો ઠરાવ રજુ કરીને ભારતની શાંતિની ઈચ્છાને વાચા આપી હતી.

દુનિયાના દરેક દેશે ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી તેમજ સૈન્ય સંખ્યા ઘટાડીને એ નાણાં વિશ્વની ગરીબ તથા ભૂખમરાથી પીડાતી પ્રજાના આર્થિક અને સામાજિક વિકાસ માટે કરવો જોઈએ. એવી માંગણી હંમેશા ભારતે સંયુક્ત રાષ્ટ્રો સમક્ષ કરી છે.

આમ, વિશ્વશાંતિ એ ભારતની વિદેશનીતિનો મુખ્ય સિદ્ધાંત છે. વિશ્વશાંતિ માટે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે સહકાર, વિશ્વાસ અને સમજણનું વાતાવરણ સ્થાપવા માટે ભારતે સતત પ્રયાસ કર્યો છે.


Advertisement
પરમાણુ શસ્ત્રો અને મિસાઈલો 

‘ઠંડા યુદ્ધ’ નાં મુખ્ય કારણો સંક્ષેપમાં જણાવો. 

ભારત અને યૂ.એસ.એ. વચ્ચેના સંબંધોની સંક્ષેપમાં ચર્ચા કરો. 


Advertisement