Chapter Chosen

સજીવોમાં વહન, પરિવહન અને ઉત્સર્જન

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
વનસ્પતિઓમાં વહન સમજાવો. અથવા વનસ્પતિઓમાં વહન ક્રિયામાં પ્રસરણ, વહનતંત્ર અને વાહકપેશીઓની અગત્યતા સમજાવો.

ટુંક નોંધ લખો.
બાષ્પોત્સર્જનથી પાણીનું ઊર્ધ્વવહન


સ્થાનાંતરણ એટલે શું ? અન્નવાહક પેશીમાં પદાર્થોનું સ્થાનાંતરણ સમજાવો.


Advertisement

વનસ્પતિમાં પાણીના વહનની સમજૂતી આપો.
                 અથવા
વનસ્પતિમાં મૂળ દ્વારા પાણીનું શોષણ અને ઊર્ધ્વવહન સમજાવો. અથવા જલવાહકમાં પાણીના વાહનની સમજૂતી લખો.


મૂળ દ્વારા પાણીનું શોષણ : વનસ્પતિના મૂળના કોષો જમીન સાથે સીધા સંપર્કમાં હોય છે. આ કોષો જમીનમાંથી ખનિજ આયનોનું શોષણ કરે છે. આથી મૂળના કોષો અને જમીન વચ્ચે આયનોની સાંદ્રતાનો તફાવતને દૂર કરવા જમીનમાંથી મૂળમાં પ્રવેશ પામે છે.



વહનમાર્ગ અને જલસ્તંભનું નિર્માણ :
વનસ્પતિનાં બધાં અંગોની જલવાહક પેશી પરસ્પર સંકળાઈને સળંગ વહનમાર્ગ રચે છે. મૂળ દ્વારા શોષાયેલું પાણી જલવાહકમાં પાણીના સ્તંભનું નિર્માણ કરે છે.

મૂળદાબ વડે પાણીનું વહન :
મૂળના કોષો વડે શોષાતું પાણી મૂળના મૃદૂતક કોષોમાં એકત્રિત થઈ દબાણ સર્જે છે. તેને મૂળદાબ કહેવામાં આવે છે. આ દબાણથી પાણી જલવાહકમાં ધકેલાય છે. જલવાહકમાં દબાણથી પ્રવેશતું પાણી જલસ્તંભને ઉપરની તરફ ધકેલે છે. ઓછી ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓમાં પાણીનું વહન દબાણ દ્વારા થાય છે.

પરંતુ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં આ દબાણ વનસ્પતિઓમાં જોવા મળતી ઊંચાઈ સુધી પાણી પહોંચાડવા માટે પૂરતું નથી.

બાષ્પોત્સર્જનથી સર્જાતા ખેંચાણબળથી પાણીનું વહન :
ઉચ્ચ વનસ્પતિઓ પોતાના દેહમાં ઉચ્ચતમ સ્થિતિએ પાણી પહોંચાડવા માટે આ માર્ગ અપનાવે છે.

વનસ્પતિનાં હવાઈ અંગો દ્વારા બાષ્પ સ્વરૂપે પાણી વાતાવરણમાં ગુમાવવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે. પ્રકાશની હાજરીમાં પર્ણના વાયુરંધ્રો બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવે છે. આથી પર્ણના કોષોમાં પાણીનું પ્રમાણ ઘટે છે. તેની પૂર્તતા કરવા પર્ણની જલવાહિનીમાંથી પાણી મેળવાય છે. આમ, પાણીના અણુઓનું બાષ્પીભવન થવાથી પર્ણના કોષોમાં ખેંચાણબળ ઉદભવે છે. પર્ણના કોષોમાંથી આ ખેંચાણબળ ક્રમશઃ મૂળની જલવાહિની અને મૂળ કોષોમાં અનુભવાય છે. આથી વનસ્પતિઓમાં પાણી ઉપરની તરફ વહન પામે છે.

આમ, ઉચ્ચ વનસ્પતિઓમાં દિવસ દરમિયાન વાયુરંધ્રો ખુલ્લાં થતાં, બાષ્પોત્સર્જનથી સર્જાતું ખેંચાણબળ જલવાહકમાં પાણીના વહન માટે મુખ્ય ચાલકબળ બને છે.


Advertisement

વહન એટલે શું ? જટિલ રચના ધરાવતા સજીવોમાં કયાં કયાં દ્રવ્યોના વહનની જરૂર પડે છે ?


Advertisement