Chapter Chosen

ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
તાજમહાલની સ્થાપત્યકલાનો પરિચય આપો.

તાજમહેલની સ્થાયત્યકલાનો પરિચય:

ઇ.સ. 1630માં અવસાન પામેલી પોતાની બેગમ મુમતાજ મહલની યાદમાં મુઘલ બાદશાહ શાહજહાંએ ભવ્ય તાજમહાલ બંધાવ્યો.

તે આગરામાં યમુના નદીની દક્ષિણે આવેલો છે.

ઇ.સ. 1631માં તાજમહેલનું બાંધકામ શરૂ થયું હતું તે 22 વર્ષ પછી ઇ.સ. 1653માં પૂર્ણ થયું.

શાહજહાંએ ભારતીય, ઇરાની, અરબી, તુર્કી, અને યુરોપીય કુશળ શિલ્પીઓ રોકીને તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું.

દુનિયાના અદ્વિતીય મકબરાઓમાં તેની ગણના થાય છે.

એ સમયમાં તેના બાંધકામમાં રૂપિયા સાડા ચાર કરોડ કરતાં વધુ ખર્ચ થયો હતો.

તાજમહલાની મુખ્ય વિશેષતા:

  • તાજમહાલ વિશ્વની સાત અજાયબીઓ પૈકીની એક છે.
  • તાજમહાલનું નિર્માણ સંગેમરમરના ચબૂતરા ઉપર થયેલું છે.
  • તાજમહાલ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ લંબચોરસ આકારે વિસ્તરેલો છે.
  • તાજમહાલનું પ્રવેશદ્ધાર આકર્ષક છે. તેની મધ્યમાં ઉંચો ઘુમ્મટ છે. તેમજ તેના ચાર ખૂણા પર નાના ઘુમ્મટ છે.
  • તાજમહાલની મધ્યમાં મુમતાજની કબર છે. કબરની આજુબાજુ ખૂબ જ સુંદર કલાત્મક અષ્ટ્કોણીય જાળી છે.
  • તાજમહાલની એક મહેરાબ પર આ વિધાન અંકિત થયેલું છે : “સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.”
  • અદભૂત સૌંદર્ય ધરાવતો તાજમહાલ ભારતની સ્થાપત્યકલાના વારસાનું ગૌરવ છે.
  • તાજમહાલ દેશ-વિદેશના પ્રવાસીઓના અનહદ આકર્ષણનું કેન્દ્ર છે.
  • તાજમેહાલની એક આગવી વિશેષતા એ છે કે વિવેચકો તેણે ‘સંગેમરમરમાં કંડારેલું પ્રેમકાવ્ય’ કહે છે.

Advertisement
ખજૂરાહોનાં મંદિરોનો પરિચય આપો.

દિલ્લીના લાલ કિલ્લા વિશે નોંધ લખો.

હમ્પી નગરની સ્થાપત્યકલાનો પરિચય આપો.

ગુજરાતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો વિશે નોંધ લખો.

Advertisement