Chapter Chosen

ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ

Book Chosen

સમાજ્શાસ્ત્ર ધોરણ 11

Subject Chosen

સમાજ શાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
કુટુંબનાં લક્ષણો : ટુંક નોંધ લખો. 

કુટુંબનો અર્થ આપી, કુટુંબના પ્રકાર સમજાવો. 

‘લગ્નસંસ્થા’ એટલે શું ? લગ્નના ઉદ્દેશો (હેતુઓ) સમજાવો. 

જ્ઞાતિનાં લક્ષણોની ચર્ચા કરો. 

Advertisement
સામાજિક સંસ્થાનો અર્થ આપી, સામાજિક સંસ્થાનાં લક્ષણો જણાવો. 

સમાજમાં લગ્ન, કુટુંબ, જ્ઞાતિ વગેરે જેવી સામાજિક સંસ્થાઓ છે. કોઇ પણ વ્યક્તિ પોતાનું જીવન અનિયંત્રિત રીતે નહી, પરંતુ સંસ્થાકીય માળખામાં રહીને જ જીવી શકે છે. પ્રત્યેક સમાજ જે કોઈ પ્રવૃત્તિઓ કરે છે તે બધી વિવિધ સંસ્થાઓ દ્વારા જ શક્ય છે. સંસ્થાઓ દ્વારા જ શક્ય છે. સંસ્થાઓ માનવીને પ્રવૃત્તિઓ કરવાની રીત આપે છે. સંસ્થાઓ માનવીના જન્મથી મૃત્યુ સુધી વ્યક્તિનું અને સમૂહનું સમાજીકરણ કરે છે. આ સંસ્થાઓ દ્વારા પ્રત્યેક સમાજના સાંસ્કૃતિક વારસાનું સાતત્ય જળવાઇ રહે છે અને તેનાથી જ સમાજ ટકી રહે છે.

સામાજિક સંસ્થાનો અર્થ અને વ્યાખ્યા :

સામાજિક સંસ્થા એટલે સમાજની અમુક સામાજિક જરૂરિયાતોની પૂર્તિ માટે થેતી આંતરક્રિયાને માર્ગદર્શિત કરતાં ધોરણોનો સમૂહ.

સંસ્થા એ વ્યક્તિઓ અને જુથો વચ્ચેના સંબંધોને નિયંત્રિત કરતી લાંબા સમય સુધી ટકી રહેતી પ્રસ્થાપુત કાર્યપ્રણાલી છે.

સામાજિક સંસ્થા સભ્યોની જરૂરિયાતો સંતોષવામાં મદદ બને તેવી એકબીજાની ભૂમિકાઓ અને વર્તન કરવાની રીતો નક્કી કરી આપે છે.

મેકાઇવર અને પેજના મત મુજબ, “સંસ્થા એ સમૂહ પ્રવૃત્તિને પ્રસ્થાપિત કરતી કાર્યપ્રણાલી છે.”

જ્હૉન્સન સંસ્થાને સમુક વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પડતી ધોરણાત્મક ઢબ તરીકે ઓળખાવે છે.

હોર્ટન અને હન્ટના મત મુજબ, “માનવ જરૂરિયાતોની આસપાસ કેન્દ્રિત થયેલી લોકરીતિઓ અને લોકનીતિના સંગઠિત સંકુલને સામાજિક સંસ્થા કહેવાય.”

આમ, લગ્ન, કુટુંબ, શિક્ષણ, ધર્મ વગેરે સંસ્થાઓ છે. આ સંસ્થાઓ વ્યક્તિઓની પરસ્પરની ભૂમિકાઓ અને વર્તનની ઢબ નક્કી કરે છે. તેમજ માનવસમાજની જરૂરિયાતો પૂરી પાડવાનું કાર્ય કરે છે.

સામાજિક સંસ્થાનાં લક્ષણો :

1 વલણ અને વર્તનની ઢબ :

સંસ્થાઓ વ્યક્તિઓના વલણ અને વર્તનની ઢબ વ્યક્ત કરે છે. દા. ત., કુટુંબમાં પરસ્પર પ્રેમ, વફાદારી, માનની લાગણી અને જવાબદારીનું વલણ વ્યક્ત થાય છે અને આ વલણ અનુસાર કુટુંબના સભ્યોના પારસ્પરિક વર્તનની ઢબ રચાય છે. આજ પ્રમાણે રાજકીય, શૈક્ષણિક, ધાર્મિક વગેરે સંસ્થામાં વલણ અને વર્તનની ઢબ વ્યક્ત થાય છે.

2 સાંસ્કૃતિક પ્રતીકો :

દરેક સંસ્થાને અમુક વિશિષ્ટ સાંસ્કૃતિક પ્રતીકો હોય છે, જે સંસ્થાની ઓળખ આપે છે. દા. ત., રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ વગેરે કોઈ દેશનું સાંસ્કૃતિક પ્રતીક છે. કોઈ પક્ષનું ચિહન એ રાજકીય સંસ્થાનું પ્રતીક છે. સગાઇ સમયે આપવામાં આવતી રીંગ લગ્નસંસ્થાનું એક પ્રતીક છે. અમુક સ્ત્રોત કે સ્તવન ધર્મસંસ્થાનું પ્રતીક છે.

3 સાધન-સગવડ :

સંસ્થા તેનાં કાર્યો માટે ખાસ સાધનો અને સગવડો ધરાવે છે. જે સંસ્થાના ઉપયોગના પાયા પર રચાયેલું સાંસ્કૃતિક લક્ષણ છે, દા. ત., કુટુંબસંસ્થા માટે ઘર, ધર્મસંસ્થા માટે મંદિર, દેરાસર, મસ્જિદ, ખર્ચ વગેરે; શિક્ષણસંસ્થા માટે શાળાનું મકાન, યુનિવર્સિટીનું ભવન વેગેરે; પુસ્તકો અને ગ્રંથો માટે પુસ્તકાલય. આ બધા સંસ્થાના સાધન-સગવડ છે.

4 વર્તનનાં ધોરણો :

સંસ્થા એ લોકરીતિઓ, લોકનીતિઓ અને કાયદાનો સમૂહ છે. વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પડતા વર્તન અને ભૂમિકાને માર્ગદર્શન આપતાં ધોરણોની વ્યવસ્થા છે. દા. ત., કુટુંબસંસ્થામાં પતિ-પત્ની અને સંતાનોના પારસ્પરિક સંબંધો અને ભૂમિકા નક્કી કરતાં સામાજિક ધોરણો જોવા મળે છે. તથા વંશવારસાને લગતા અને ઉત્તરાધિકારીએને લગતા નિયમો જોવા મળે છે. ધર્મસંસ્થામાં ધર્મના સિદ્વાંતો તેના અનુયાયીઓ માટે વર્તનનાં ધોરણો બની જાય છે. આમ, દરેક સંસ્થામાં વર્તનનાં ધોરણોની ઢબ હોય છે, જે સંસ્થાની પ્રણાલિકા બને છે.

5 વિચારસરણી :

વિચારસરણી એ વિચારો, માન્યતાઓ અને ધોરણોનો સમૂહ છે. ધોરણો વ્યક્તિએ કઈ રીતે વર્તનનું અને કઈ રીતે વર્તન ન કરવું તે સૂચવે છે, જ્યારે વિચારસરણી વ્યક્તિએ શા માટે આ રીતે વર્તન કરવું જોઈએ તે સૂચવે છે. આમ, વિચારસરણી સંસ્થાની મૂળભૂત માન્યતાઓ અને વિચારો વ્યક્ત કરે છે. દા. ત., કુટુંબવાદ કે વ્યક્તિવાદ એ કુટુંબની વિચારસરણી છે. કર્મવાદ, એકેશ્વરવાદ કે અનેકેશ્વરવાદ એ ધર્મની વિચારસરણી છે. રષ્ટ્રવાદ, લોકશાહી, પ્રજાતંત્ર વગેરે રાજકીય સંસ્થાની વિચારસરણી છે.


Advertisement
Advertisement