Chapter Chosen

સમાજશાસ્ત્ર પરિચય

Book Chosen

સમાજ્શાસ્ત્ર ધોરણ 11

Subject Chosen

સમાજ શાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સમાજશાસ્ત્રનો શબ્દાર્થ સમજાવી, સમાજશાસ્ત્રના ઉદભવ વિશે નોંધ લખો.

Advertisement
સમાજશાસ્ત્રનું વિષયવસ્તુ સમજાવો. 

દરેક વિજ્ઞાનને પોતાનું એક અલગ વિષયવસ્તુ હોય છે. નિયત કરવામાં આવેલી સીમારેખામાં જે-જે બાબતોનો સમાવેશ કરવામાં આવે તે સમાજશાસ્ત્રનું વિષયવસ્તુ છે. ‘વિષયવસ્તુ’ શબ્દના ઘણા સમાનાર્થી શબ્દો છે. દા.ત., વિષયક્ષેત્ર, વિષયસામગ્રી, અભ્યાસક્ષેત્ર, કાર્યક્ષેત્ર, અભ્યાસવસ્તુ, અભ્યાસસામગ્રી વગેરે. માનવસમાજને લગતી જે કોઈ ઘટનાઓનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે તેનૂ સમાવેશ સમાજશાસ્ત્રના વિષયવસ્તુમાં થાય છે.

સામાજિક સંબધો અને સામાજિક સંસ્થાઓનો અભ્યાસ કરતું સમાજશાસ્ત્ર આપણી આજુબાજુનાં અનેક સામાજિક પાસાઓને સમાવી લે છે. સમાજશાસ્ત્ર સમાજનું સાતત્ય જાળવનાર અને સામાજિક પરિવર્તન લાવનારાં પરિબળોનો અભ્યાસ કરે છે. સમાજશાસ્ત્ર સમાજજીવનના મૂળભૂત એકમો, પાયાની સામાજિક સંસ્થાઓ, તેમની પ્રક્રિયાઓ અને તેમની સમસ્યાઓનો અભ્યાસ કરે છે. સમાજશાસ્ત્રી એલેક્ષ ઇંકલિસે સમાજશાસ્ત્રના વિષયવસ્તુનું સવિસ્તર વર્ણન કરેલ છે જે નીચે પ્રમાણે છે :

1 સમાજના મૂળભુત એકમોનો અભ્યાસ :

સમાજમાં વ્યક્તિઓ દ્વારા કરવામાં આવત્યં અર્થપૂર્ણ વર્તન, સમાજમાં માનવી-માનવી વચ્ચેના સંબંધો, વ્યક્તિ-વ્યક્તિ, વ્યક્તિ-જૂથ અને જૂથ-જૂથ વચ્ચેની સામાજિક આંતરક્રિયા, જુદા જુદા સમાજનાં ધોરણો, સમાજમાં વ્યક્તિનું સ્થાન, તેના સામાજિક દરજ્જાઓ અને સામાજિક ભુમિકાઓ, સામાજિક માળખું, માનવસમાજને માનવેતર સમાજથી જુદો પાડનારી અને વ્યક્તિના વ્યક્તિત્વનું ઘડતર કરનારી સંસ્કૃતિનો અભ્યાસ.

સમાજના જુદા જુદા સામાજિક સમૂહો, તેમના પ્રકાર અને લક્ષણો તથા જુદા જુદા સામાજિક સમૂહો વચ્ચેના આંતરિક સંબંધોનો અભ્યાસ.

સમાજમાં નાના, મોટા કે વિશિષ્ટ સમુદાય હોય છે. આ સમુદાયને પોતાનું વિશિષ્ટ સમાજજીવન અને આગવી સંસ્કૃતિ હોય છે. આવા ગ્રામ સમુદાય, નગર સમુદાય, આદિવાસી સમુદાય વગેરે સમુદાયનો અભ્યાસ.

માનવી વિવિધ સમૂહમાં જીવન ગુજારે છે. આ સમૂહો સમય જતાં મંડળનું સ્વરૂપ ધારણ કરે છે. આવાં મંડળોની કેટલીક કાર્યપ્રણાલીઓ સમય જતાં એની સાથે જોડાય છે, જેથી સમાજમાં સંગઠનો રચાય છે. આવાં આર્થિક, ધાર્મિક, શૈક્ષણિક, રાજકીય, વ્યાવસાયિક વગેરે સંગઠનોનો અભ્યાસ.

2 પાયાની સામાજિક સંસ્થાઓનનો અભ્યાસ :

કુટુંબ સંસ્થાનો અભ્યાસ જેના કુટુંબ, લગ્ન, જ્ઞાતિ, સંગાઇસંબંધો વગેરેનો સમાવેશ થાય છે.

આર્થિક સંસ્થાઓનો અભ્યાસ જેમાં વેપાર અને વાણિજ્ય, ઉદ્યોગો અને ઔદ્યોગિક સમૂહો, બૅન્કો, વ્યાવસાયિક જુથો વગેરેનો સમાવેશ થાય છે.

રાજકીય સંસ્થાઓનો અભ્યાસ જેમાં વિવિધ સરકાર, રાજકીય પક્ષો, રાજકીય પ્રશ્નો, ધારાસભાઓ, પંચાયતી રાજ વગેરેનો સમાવેશ થાય છે.

કાનુની સંસ્થાઓનો અભ્યાસ જેમાં બંધારણ, કાયદાઓ, કાનુની વ્યવસ્થા અને સામાજિક પરિવર્તનનો સમાવેશ થાય છે.

ધાર્મિક સંસ્થાઓનો અભ્યાસ જેમાં વિવિધ ધર્મો, સંપ્રદાયો અને તેમાં ઉપસ્થિત થતા તણાવના અભ્યાસનો સમાવેશ થાય છે.

3 પાયાની સામાજિક પ્રક્રિયાઓનો અભ્યાસ :

સહકાર, અનુકૂલ, આત્મસાતીકરણ વગેરે જેવી સમાજના જુદા જુદા એકમોને સુગ્રથિત કરતી પ્રક્રિયાઓ તેમજ સંઘર્ષ અને સ્પર્ધા જેવી સમાજના જુદા જુદા એકમોને વિભાજિત કરતી સામાજિક પ્રક્રિયાઓનો અભ્યાસ. 

સમાજના સભ્યોને સમાજવ્યવસ્થાને અનુરૂપ સમાજમાન્ય વર્તનો અને સામાજિક ધોરણો શીખવતી સમાજીકરણની પ્રક્રિયાઓનો અભ્યાસ. આ સમાજીકરણની પ્રક્રિયાના સંદર્ભમાં કુટુંબ, મિત્રજૂથ, શાળા, પડોશ વગેરેના અભ્યાસનો સમવેશ થાય છે. 

સમાજે સ્વીકારેલાં ધોરણોથી અલગ વર્તન કરવા પ્રેરણા આપતી સામાજિક વિચલનની પ્રક્રિયા અને સામાજિક ધોરણોનો અભ્યાસ. સામાજિક વિચલનને અંકુશમાં રાખવા માટેની સામાજિક નિયંત્રણની પ્રક્રિયાઓનો અભ્યાસ. 


Advertisement
ઇમાઇલ દુર્ખિમ અને મેક્સવેબરનું સમાજશાસ્ત્રમાં પ્રદાન જણાવો. 

ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ :  ટુંકનોંધ લખો. 

સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન : ટુંક નોંધ લખો. 

Advertisement