Chapter Chosen

સમાજશાસ્ત્ર પરિચય

Book Chosen

સમાજ્શાસ્ત્ર ધોરણ 11

Subject Chosen

સમાજ શાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો. 

સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વચ્ચેના સંબંધની માહિતી આપો. 

સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્ર વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો. 

Advertisement
ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસની માહિતી આપો. 

ભારતના વિશ્વવિદ્યાલયની જેમ ગુજરાતનાં વિશ્વ-વિદ્યાલયોમાં પણ સમાજશાસ્ત્રના અભ્યાસનો વિકાસ થયો.

ગુજરાત વિદ્યાપીઠમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો.

ગુજરાત યુનિવર્સિટી, અમદાવાસ; એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા; વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટી, સુરત; સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ; કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર; સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર તથા ગુજરાતની મોટા ભાગની બધી યુનિવર્સિટીઓમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનો અભ્યાસ શીખવવામાં આવે છે.

મેડિકલ, નર્સિંગ વગેરે અભ્યાસક્રમોમાં એક વિષય તરીકી સમાજશાસ્ત્ર શીખવવામાં આવે છે.

ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ધોરણ 11 અને 12 ના સામાન્ય પ્રવાહના વિનયન ભાગમાં એક વિષય તરીકે સમાજશાસ્ત્ર શીખવવામાં આવે છે.

સુરતમાં ડૉ. આઇ.પી.દેસાઇ (ઇશ્વરભાઇ પ્રાગજીભાઇ દેસાઇ) એ સ્થાયેલી સંસ્થા ‘સેન્ટર ફૉર સોશિયલ સ્ટડિઝ’ ગુજરાતમાં સર્જનાત્મક સામાજિક સંશોધનોને પ્રોત્સાહન આપે છે. આ સંસ્થાના સામયિક અર્થાત માં ગુજરાતના સંશોધકોના સંશોધન લેખો પ્રકાશિત કરવામાં આવે છે.

ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં એન.એ.થૂથી, આઇ. પી. દેસાઇ, અધ્યક્ષકુમાર દેસાઇ, નીરાબહેન દેસાઇ, તારાબહેન પટેલ, એ.એમ.શાહ વગેરે સમાજશાસ્ત્રીઓનું મહત્વનું યોગદાન રહ્યું છે.


Advertisement
સમાજશાસ્ત્રના ઉદભવ પૂર્વે વ્યક્ત થયેલું સમાજ અંગેનું ચિંતન સંક્ષેપમાં જણાવો. 

Advertisement