કવિ કઈ-કઈ વાતની શરૂઆત કરવાનું કહે છે ?
કવિ નીચે પ્રમાણેની વાતની શરૂઆત કરવાનું કહે છે :
(1) જીવનમાં કે કાંઈ મળ્યું છે તેને સવાયું કરીને એની સોગાત આપીને આવનારી કાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરી.
(2) જે પરિસ્થિતિમાં હોઈએ તેમાં આપણા ગુણોથી ઘર, નગર અને સમગ્ર વિશ્વને સુંદર બનાવવાની શરૂઆત કરીએ.
(3) આપણા બાહ્ય સૌંદર્યની જેમ આંતરિક સૌંદર્યને ખીલવવાની શરૂઆત કરીએ.
(4) જીવનમાં આવનારી સૌ ખુશીની વાતથી એક નવી શરૂઆત કરીએ.
(5) દુ:ખોથી હરી જવાને બદલે દુ:ખોનો હિંમતથી સામનો કરવાની શરૂઆત કરીએ.