CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વન્ય જીવ સંરક્ષણ માટેની મુખ્ય યોજનાઓ નીચે મુજબ છે .
1. વાઘ પરિયોજના (પ્રોજેક્ટ ટાઈગર) : દેશના રાષ્ટ્રીય પ્રાણી વાઘની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને તેમજ વાઘના થતા શિકારને ધ્યાનમાં લઈ ભારત સરકારે ઈ.સ. 1973માં ‘વાઘ પરિયોજન’ કાર્યક્રમ શરૂ કર્યો છે.
આ પરિયોજના 9 આરક્ષિત વિસ્તારો સાથે અમલમાં મૂકાઈ હતી, જે અંતર્ગત હાલમાં 48 વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે.
2. સિંહ પરિયોજના : પહેલાં એશિયાઈ સિંહો એશિયા ઉપમહાદ્વિપના ઈરાનનાં જંગલોમાં જોવા મળતા હતા. પરંતુ તેઓનો શિકાર અને જંગલોનો વિનાશ થવાથી હાલમાં માત્ર તે સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના ગીરનાં જંગલોમાં જ જોવા મળે છે. એક તબક્કે ગીરમાં સિંહોની સંખ્યા 100 થી પણ ઓછી થઈ ગઈ હતી. તેથી તેમના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકારે ઈ.સ. 1972માં ગીરમાં ‘સિંહ પરિયોજના’ અમલમાં મૂકી.
આ ઉપરાંત, ભારતમાં કશ્મીરી બારાસિંગા હરણની દુર્લભ પ્રજાતિ માટે ‘હંગલ પરિયોજના’ ખારા પાણીના મગરમચ્છ માટે ‘મગરમચ્છ પરિયોઅજના’ ભારતીય ગેંડા માટે’ગેંડા પરિયોજના’ ‘હિમદિપડા પરિયોજના’ વગેરે પરિયોજના અમલમાં મૂકી છે.
ભારતને કુલ કેટલા પ્રાણી-ભૌગોલિક પ્રદેશોમાં વહેંચવામાં આવ્યો છે ?
નવ
ચાર
છ
આઠ