Chapter Chosen

નિવસનતંત્ર

Book Chosen

જીવવિજ્ઞાન ધોરણ 12 સેમેસ્ટર 3

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

પરિસ્થિતિકીય પિરામિડ વર્ણવો.


અનુક્રમિત પોષક સ્તરે પોષક રચના અને કાર્યકીના સાંકેતિક નિરૂપણને પરિસ્થિતિકીય પિરામિડ કહે છે.

તેમાં પ્રથમ પોષક સ્તરે ઉત્પાદકો પિરામિડનો પાયો રચે છે અને અનુક્રમિત સ્તરો તેની ઉપર ગોઠવાઈ મથાળાં બનાવે છે.

પરિસ્થિતિકીય પિરામિડના પ્રકારો :

1. સંખ્યાકીય પિરામિડ :

આ પિરામિડના પાયાની રચના કરતા પ્રથમ પોષક સ્તરમાં સૌથી મોટી સંખ્યામાં મોટા ઉત્પાદકો હોય છે. તેની ઉપર તૃણાહારી એવા દ્વિતીય પોષક સ્તરમાં ઉત્પાદકોની સંખ્યાના લગભગ દસમાં ભાગ જેટલી સંખ્યામાં સજીવો વસે છે, જે દરેક સ્તરમાં તેની પુર્વેના સ્તરની સંખ્યાની તુલનામાં 10 % જેટલી જ સજીવસંખ્યા હોય છે.  આમ, ક્રમિક સ્તરોમાં સજીવસંખ્યા ઘટતી જાય છે. સામાન્ય રીતે સંખ્યાકીય પિરામિડો સીધા હોય છે. ઉત્પાદકો સૌથી મોટી સંખ્યામાં અને ટોચના માંસાહારી ઉપભોગીઓ સૌથી ઓછી સંખ્યામાં હોય છે.

                           


2. જૈવભાર પિરામિડ :

 
આ પિરામિડની રચનામાંદરેક પોષક સ્તરમાં વસતા સજીવોના શરીરના શુષ્ક જૈવભારને ધ્યાનમાં લેવામાં આવે છે. જે-તે સ્તરના સજીવોના સરેરાશ જૈવભાર અને તે સ્તરના સજીવોની સંખ્યાને આધારે નક્કી કરાય છે. આ પિરામિડ સંખ્યાના પિરામિડની જેમ સીધો જ હોય છે.

                             

ચોક્કસ નિવસનતંત્રમાં પોષણશૃંખલાની પ્રકૃતિ પર આધારિત સંખ્યાના અને જૈવભારના પિરામિડો સીધા કે ઉંધા હોઈ શકે છે.

3. ઊર્જા (શક્તિ) પિરામિડ :

દરેક પોષક સ્તરે પ્રાપ્ત ઉર્જાના પ્રમાણને આધારે આ પિરામિડની રચના થાય છે. નિવસનતંત્રની કાર્યક્સમતાની ઉત્તમ આ પિરામિડ વડે મેળવી શકાય છે. થર્મૉદાયમિક્સના દ્વિતીય નિયમાનુસાર વપરાશ દરમિયાન પ્રાપ્ત ઊર્જાનું પ્રમણ સતત ઘટતું હોવાથી આ પિરામિડ હંમેશાં સીધો હોય છે.

                             

 
દરેક દરેક વિસનતંત્રમાં શક્તિના પિરામિડો હંમેશાં શીધા જ હોય છે.

Advertisement

વનસ્પતિ અને પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરનારા શું કહેવાય ?

  • મિશ્રાહારી

  • પ્રથમક્રમના ઉપભોગી 

  • ઉપભોગી

  • માંસહારી


એક નિશ્ચિત વિસ્તારની બધી જાતિઓની એકમેક તેમજ ભૌતિક પરિબળો સાથેની આંતરક્રિયાઓ વડે રચાતા એકમને શું કહે છે ?

  • નિવસનતંત્ર
  • સંગઠનકક્ષા

  • જૈવઘટકો

  • વસતી


નિવસનતંત્રના કયા ઘટકામાં ત્યાનાં સજીવોનો સમાવેશ થાય છે ?

  • વસતી

  • જાતી 

  • અજિવ ઘટક 

  • જૈવઘટક


નિવસનતંત્ર શાનો એકમ છે ?

  • વસતી

  • પર્યાવરણવિદ્યા

  • પૃથ્વી

  • જીવાવરણ


પૃથ્વીના બધાં નિવસનતંત્રો મળીને શું બને છે ?

  • વસતી

  • જૈવસમાજ

  • અજૈવસમાજ

  • જીવાવરણ 


Advertisement