CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નાવિક ભોળો હતો, તે શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર આવ્યાં. સૌને નદી પાર કરવા જણાવ્યું, પણ એનું ભક્ત હદય એક વિમાસણમાં મુકાઈ ગયું. જો એ શ્રીરામને પોતાની નાવમાં બેસાડે અને નાવ સ્ત્રી બની જાય તો ? કેમ કે ઋષિના શાપથી પથ્થર બનેલી અહલ્યા શ્રીરામની ચરણજથી જીવિત સ્ત્રી બની ગઈ હતી એ પ્રસંગ નાવિકે સાંભળ્યો હતો. એની આજીવિકા છીનવાઈ જાય એ એને પરવડે તેમ નહોતું. વળી, ઘરમાં એક સ્ત્રી તો હતી જ. એમાં વળી બીજી સ્ત્રી આવે તો બંનેના ભરણપોષણની વ્યવસ્થા કેવી રીતે કરવી એ પણ એની મૂંઝવણ હતી, ત્યાં વિશ્વામિત્રે સૂચવેલા ઉપાય પર એણે વિશ્વાસ મૂક્યો; કેમ કે એ શ્રીરામનો મહિમા જાણતો હતો. એણે ભક્તિભાવપૂર્વક શ્રીરામનાં ચરણ ગંગાજળથી પખાળ્યાં. આ નિમિત્તે નાવિકને શ્રીરામના ચરણ પખાળવાની તક મળી.