ઝવેરદાદા ‘ બહુજન હિતાય, બહુજન સુખાય’ કાર્ય કરનારા એક અદના સેવક હતા, એ વાત ‘ ઝવેરબાપા’ પાઠના આધારે સમજાવો.
ઝવેરદાદાએ અમેરીકા જઈ વનસ્પતિવર્ધનશાત્રમાં પીએચ.ડી. કર્યું હતું. તેઓ સૌરાષ્ટ્ર રાજ્યના ખેતીવાડી ખાતાના ઉપરી હતા ત્યારથી લોકોને સારામાં સારો અને પુષ્કળ પાક મળી રહે એ માટે કૃષી ક્ષેત્રે જાતજાતના પ્રયોગો કર્યા કરતા. તેઓ એમના બંગલાના કમ્પાઉન્ડમાં પણ દાણા ભરચક મળે તેવા અખતરા કર્યા કરતા. નિવૃત થઈને પણ ઘઊંના પ્રયોગ કરવા એવી એમણે ઈચ્છ રાખી હતી. દર્શકનું આમંત્રણ અને નાનાભાઇ પ્રત્યે પૂજ્યભાવ એમને લોકોભારતી સંસ્થામાં જોડવા નિમિત્ત બન્યો. ત્યાં અથાક પરિશ્રમ કરીને, ખુબ ધીરજ રાખીને તેમણે ઘઊંની લોક 1-2-3-4-5-6-7-8-9 જેટલી જાત વિકસાવી હતી. લોક ભારતીની એક જાત આખા પશ્ચિમ ભારતના બધી જાત કરતાં શ્રેષ્ઠ ગણાઈ. દર્શક એ જાતને ઝવેર-1 નામ આપવાનું સૂચન કર્યું , પણ આ વિનમ્ર પુરુષે લોકભારતી સંસ્થા સાથે નામ જોડવાનું કહીને એને ઘસાયા હતા. રાતદિવસ, ટાઢ-તડકાની પરવા કર્યા વગર કામ કર્યું હતું. એમના હૈયે અંગત માનઅકરમની નહિ પણ બહુજનના હિતની અને સુખની ખેવાના હતી. આમ, ઝવેરદાદા એક અદના સેવક હતા.