લેખકે નંદુલાલ મહેતાને 'ઝાકળજેવા અણદીઠ કહ્યા છે.' આ તુલનાની યથાર્થતા 'ઝાકળ જેવા અણદીઠ' પાઠના આધારે સાબીત કરો.
નંદુલાલભાઈનું જીવન સંયમી, નિરાભિમાની અને પરોપકારી હતું. તેઓ મિલ માલીકો, મજુરો તેમ જ સરકારને નિ:સ્વાર્થભાવે મદદરુપ થતા હતાં. તેમણે ક્યારે કોઈનો ઊપયોગ પોતાના અ6ગત લાભ માટે કર્યો નહતો. તેઓ નોકરને પણ પુત્રેની જેમ સાચવતા. તેમને મિલમાલીકો અને મજુરો પોતાના શ્રેષ્ઠ મિત્ર અને હીતેચ્છુ ગણે એ જ એમના કાર્યની સિદ્વિને સુચવે છે. ગૃહિણી વિના નંદુલાલભાઈ પોતાનું ઘર બીજા કોઈની મદદ લીધા વિના એક ગૃહીણીને શરમાવે તેવું સુઘડ,સ્વચ્છ સુવ્યવસ્થીત રાખવાંમાં સફળ થયાં હતા. તેમણે પોતાની બચત પણ ગરીબો અને દીનદુખીયાંને મદદરૂપ થાય એ માટે વસીયત કરીને સખાઅવતમાં આપી દીધી અહ્તી. તેમણે જીવનની અંતીમક્ષણોમાં પણ પવાલા પાણીની તકલીફ આપી નહોતી. સ્વશ્રય, સંયમ, સ્વમાન અને વવિનમ્રતા જેવા ગુણો એ જ એમની સમૃદ્બિ હતી.
આમ,નંદુલાલભાઈ ઝાકળની જેમ દુનીયામાં અણદીઠ રહીને સંસ્કારની સુગંધ ફેલાવીને ધરતીને સમૃદ્વ કરી ગયા. એ દ્વષ્ટિએ લેખકે નંદુલાલભાઈની તુલના ઝાકળ સાથે કરી છે તે યથાર્થ ઠરે છે.