Chapter Chosen

માનચતુર અને ધર્મલક્ષ્મી

Book Chosen

ગુજરાતી ધોરણ 12

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
’માનચતુર અને ધર્મલક્ષ્મી’ પાઠમાંથી પાત્રાનુસાર ભાષાના ઉપયોગના ત્રણ ઉદાહરણો લખો. 

માનચતુરે યોજેલી ઘરની અવદશાનું વર્ણન તમારા શબ્દોમાં કરો. 

ધર્મલક્ષ્મીનો પાત્રપરિચય આપો. 

આ પાઠનું શીર્ષક ‘ગૃહિણી વિનાનું ઘર’ રાખ્યું હોયતો તમે સંમત છો ? શા માટે ? 

Advertisement

માનચતુરના સ્વભાવની કઈ કઈ લાક્ષણીકતાઓ લેખકે વર્ણવી છે ? 


માનચતુર નાનપણથી જ બુદ્વિશાળી હતા. તેમને કોઈ કામ ન આવડતું હોયતો બુદ્વિના બળે તેઓ એ કામ તરતજ શીખી લેતાં. તેઓ જે કામ હાથમાં લે તેને બને તે તેટલી ઝડપથી પૂરું કરે ત્યારે જ તેમને ચેન પડતું. કોઈ પણ કામ પૂરું કરવામાં વિઘ્ન આવે, તેને દૂર કરવા તેઓ તત્પર રહેતાં. એ માટે માનચતુર જાતજાતની તરકીબો અજમાવતાં. માણસને ફોસલાવીને, માનવીને, ઊંધુચીતું સમજાવીને એને જરૂર પડે તો છેવટે એને ત્રાસ આપીને પણ સામાવાળાને કેમ વશ કરવો એ તેઓ નાનપણથી શીખ્યા હતા. પોતાનુ માણસ હોયતો એના પર જોર જુલમ કરીને પણ પોતાનું ધાર્યું કરવતાં. પોતે જે કામ પાર પાડવાનું નક્કી કર્યું હોય તેમા એમને અનગમતો માર્ગ લેવો પડે તો પણ તેઓ સહેજે અચકાતાં નહિ. જેમ મહાવત હાથીના કુંભસ્થળ પર અંકુશ વાપરે તેમ માનચતુર મર્મસ્થાન સુધી જવા અને કામ પુરું કરવા યથોચિત બુદ્વિ શક્તિનો ઊપયોગ કરતાં. પોતાને અણગમતી વાત કરવી પડે તો પણ તેમણું લક્ષ્ય ધરેલો હેતુ પાર પાડવા તરફ રહેતું . એને માટે તમણે પુરુષાર્થ અને યશ બંનેને જરૂરી ગણ્યા હતાં. પોતે હંમેશા ધર્માને નીતિને માર્ગે ચાલતા પરંતુ જો સારુ કામ કરવામાં ધર્મ અને નીતિ આડે આવાતાં હોયતો તે એમણે માટે ગૌણ બની જતાં. 

Advertisement
Advertisement