'મહાદેવનું જીવન એટલે ભક્તિનું અખંડ કાવ્ય' મહાદેવભાઈની ગાંધીજી પ્રત્યેની ભક્તિ અને નિષ્ઠાના સંદર્ભે આ વિધાનની સાર્થકતા તપાસો.
'મહાદેવનું જીવન એક ભક્ત રૂપે પોતાનું જીવન ગાંધીજીને સમર્પિત કરી દીધું હતું. એમની સત્ય નિષ્ઠા અને સંવેદનશીલતામાંથી પ્રેમનાં તત્વો ગાંધીજીની ભઠ્ઠીમાં તપીને તપોમય સ્વરૂપ બન્યાં હતાં. ગાંધીજીના વિચારો અને પ્રવૃત્તોને દેશના ખુણે ખુણે પહોચાડવા અને બુદ્વિજિવીઓ તથા વિદ્વાનોને ગાંધીજીના વિચારોથી અવગત કરાવવા તેમના જીવનનું એક માત્ર ધ્યેય હતું. એમણે ભક્તિભાવથી દરીદ્વનારાયણની સેવા કરી હતી અને સમગ્ર રાષ્ટ્રની મુક્તિને જીવન કાર્ય બનાવ્યું હતું. ગાંધીજી દેશ માટે બને તેટલો સમય ફાળવી શકે એ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતા. મહાદેવભાઈ ગાંધીજીના મંત્રી હતા ઉપરાંત એમની અપેક્ષા મુજબનાં એક એક કામ એમણે પૂરી નિષ્ઠાથી કર્યા હતાં. આથી જ ગાંધીજીએ એમને પોતાના પુત્ર મંત્રી અને અશોક એમ ત્રણ જાણે એકમાં સમાઈ ગયાં હોય એવી રીતેઓળખાવ્યા હતાં. મહાદેવભાઈનાં ગાંધીજી અને તેમના આદર્શોમાં અપૂર્વ અને અનન્ય ભક્તિથી તરબોળ એવું એમનું ભક્તિમય જીવન હતું. બંનેનાં ખોળીયા અલગ હતાં પણ જીવતો અએકજ હોય એટલું બંને વચ્ચે તાદામ્ય હતું. આમ, 'મહાદેવનું જીવન એટલે ભક્તિનું અખંડ કાવ્ય' એ વિધાન એમની ગાંધીજી પ્રત્યેની ભક્તિ અને નિષ્ટાના સંદર્ભમાં સત્ય ઠરે છે.