મહાજનમંડળે નજરાણું સ્વીકારવા અંગે ફૉર્બસ સમક્ષ શી શી દલીલો રજુ કરી ?
જૅમ્સ ફૉર્બસ પોતાના કાર્યકાળ દરમિયાન મરાઠા સવારોથી કંટાળેલી ડભોઈની પ્રજાને શાંતિ આપી હતી. હવે ડભોઈના કિલ્લાની કુંચીઓ મહાદજી સિંધિયાના પ્રતિનિધિ ભાસ્કરરાવને સોંપવાની હતિ અને ફૉર્બસને ડભોઈ છોડવાનું હતું. ડભોઈનું મહાજનમંડળ ફોઋબસને યાદગીરી રૂપે નજરાણું ધરવા તેમની પાસે ગયું, પરંતું ફૉર્બસ શાંત ઊભા રહ્યા. મહાજને ફૉર્બસને અટ્લું નજરાણું સ્વીકરવાનો આગ્રહ કર્યોં. ફૉર્બસને રેશમી વસ્ત્રો અને આભૂષણોમાં રસ નહતો. એમને તો કેટલીક કલાકૃતિઓ જોઇતી હતિ. ફૉર્બસે મહાજનને કહ્યું કે તેમને ધાર્મીક બાધ ન આવતો હોયતો મંદીરની બહારના ખંડિત ભાગમાં વેરણ છેરણ પડેલી કેટલીક ખંડીત મૂર્તીઓ અને હરિદ્વારની બહારની કોતરણીઓમાંના ખંડિત નમૂનાઓ મને નજરાણામાં આપો. ફૉર્બસની આ માગણી જાણીને મહાજન જાણીને આશ્ચર્યચકીત થઈ ગયું. કેટલાક પ્રતિષ્ઠિતોએ ડોકું ધુણાવી દલિલ કરી કે 'સાહેબ' ! એવું તે કંઈ અપાય ?' બીજાએ દલીલ કરી કે 'સાહેબ, એવા નમુનાતો તમને જોઈએ તેટલા આપીએ, પણ એમાં તમે શું માંગ્યૂં ? કાંઈક બીજું માંગો.' એમની દલીલોની જૅમ્સ ફૉર્બસ પર કોઈ અસર થઈ નહી. છેવટે મહાજન મંડળે ગામના વિદ્વાન સોમેશ્વર શાસ્ત્રીની સલાહ લેવાનું નક્કી કર્યું.