CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નરસિહ મહેતા વૈષ્ણવજનનાં લક્ષણો દર્શાવતાં જણાવે છે કે સચો વૈષ્ણવજન હંમેશાં પારકાંના દુ:ખ દર્દ સમજે અને તેને દુર કરીને તેના પર ઉપકાર કરે છે છતાં મનમાં એનું સહેજે અભીમાન રખતો નથી. દુનીયાના તમામ માણસોને તે વંદન કરે છે અર્થાત તેને સૌના પ્રત્યે આદર ભાવ હોય છે. અને કોઇની નીદાં કરવામાં બિલકુલ રસ નથી. એ જે બોલે છે એ પ્રમાણે જ વર્તે છે. એના મન, વાણી કર્મમાં ક્યાંય ભીન્નત જોવા નહિ મળે. આવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે.
આ વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે, એને ઈચ્છા / કામનનો ત્યાગ કર્યો હતો છે. એ પર સ્ત્રીને માતા સમાન ગણે છે. એ ક્યારેય અસત્ય વચન બોલતો નથી અને પારકા ધનને હાથ અડાડતો નથી.
એ મોહમાયાથી પર હોય છે. એના અંતરમાં દ્વઢ વૈરાગ્ય હોય છે. એનુ ચીત્ત હંમેશા રામનામની ધુનમાં લીન હોય છે. એ નિર્લોભી અને નિષ્કપટી હોય છે. એ નિર્મળ છે. એણે કામ ક્રોધ પર વિજય મેળવ્યો હોય છે. આવા વૈષ્ણવજન તીર્થસ્વરૂપ હોય છે.