દમયંતી-સ્વયંવર વખતે જામેલી ભીડનુંપ્રેમાનંદે કરેલું વર્ણન કરો.
દમયંતી-સ્વયંવર યોજવાનો છે એ જાણીને ગામની ભાગોળે લોકોની ભીડ જામી છે. મોડું થશે તો મંડપમાં બેસવાની જગ્યા નહિ મળે એમ સમજીને સૌ આમંત્રિત રાજાઓ સ્વયંવરમાં સમયસર પહોચવા માટે અધીરા થયા છે. ભીડમાં રાજાઓના રથ એકબીજાના રથ સાથે અથડાય છે. આથી હાથીઓ ત્રાડ પાડે છે અને ઘોડા ભડકે છે એટલે ઘોડા પરથી અસવાર નીચે પડી જાય છે. દમયંતી-સ્વયંવર વખતે એટલી ભીડ જીમી છે કે લોકો અતીશય અક્ળાઈ ગયા છે.