CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
યોગ શબ્દ સંસ્કૃત ભાષાના “ युज “ ધાતુ પરથી બનેલો છે; જેનો અર્થ જોડાણ, મિલન, મેળાપ કે સન્યોગ થાય છે. ચિત્તનું વૈશ્વિક ચેતના સાથે જોડાણ કરવું તે યોગ છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે, “દરેક દિવ્યતા પ્રાપ્ત કરવાની સંભાવના ધરાવે છે.” યોગ આપણામાં છૂપાયેલી દિવ્યતાને પ્રગટ કરે છે.
મહર્ષિ પતંજલીએ તેમના યોગસુત્ર નામના ગ્રંથમાં પ્રથમ પ્રકરણના બીજા સૂત્રમાં યોગની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે.”योग: चित्तवृति निरोध: ।“ એટલે આપણા ચિત્તમાં સતત જન્મની નિરંકુશ વૃત્તિઓને યોગાભ્યાસ દ્વારા રોકવી તેનું નામ જ યોગ છે. મહર્ષિ પતંજલીના મતે યોગ એ મનોવિજ્ઞાન પણ છે. યોગનું મુખ્ય ધ્યેય ચિત્તની વૃત્તિઓના નિયંત્રણ દ્વારા નકામા વિચારોને નાબુદ કરી, વ્યક્તિત્વના વિકાસમાં ઉપ્યોગી બને એવા વિચારોને સ્થિર કરવાનું છે.
તક્ષશિલા વિદ્યાપીઠના પ્રાચાર્ય કોણ હતા ? તેઓ કયા કયા વિષયોના નિષ્ણાંત હતા ?