Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

વિજ્ઞાન્

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB વિજ્ઞાન્ 2014 Exam Questions

Multiple Choice Questions

11.
4 Ω ના બે અને 8 Ω ના એક અવરોધને નીચે જણાવ્યા પ્રમાણે બિંદુ A અને B વચ્ચે જોડેલા છે. વિદ્યુત પરિપથનો બિંદુ A અને B બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો થશે?

  • 16 Ω

  • 1 Ω

  • 8 Ω

  • 4 Ω


12.

વરસાદી ઋતુમાં આકાશમાં ઘણીવાર મેઘધનુષ્ય દ્વષ્ટિમાન થાય છે. મેઘધનુષ્ય બાબતે નીચે જણાવેલ બાબતોમાંથી કઈ બાબત સાચી નથી.

  • આ ઘટનામાં પાણીના ટીપાઓ નાના પ્રિઝમ તરીકે વર્તે છે.

  • ઘણીવાર આકાશમાં બે મેઘધનુષ્ય પણ રચાય છે.

  • આપાત પ્રકાશનું પ્રથમ વિભાજન અને ત્યારબાદ આંતરિક પરાવર્તન અને અંતે વકીભવન થવાથી મેઘધનુષ્ય રચાય છે.
  • મેઘધનુષ્ય આકાશમાં સૂર્યની દિશામાં રચાય છે.


13.

રમેશ ધોરણ-10ની વર્ગખંડમાં છેલ્લી પાટલી પર બેઠો છે. શિક્ષક દ્વારા બ્લેક બોર્ડ પર લખેલું વખાણ વાંચી શકે છે. પરંતુ વિજ્ઞાનની ચોપડીમાંના અક્ષરો સ્પષ્ટ રીતે વાંચી શકતો નથી. તો તેની આંખની સ્થિતિ બાબતે નીચે પૈકીનું કયું વિધાન સામાન્ય રીતે સાચું હોઈ શકે?

  • તેની આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો થઈ શકતો ન હોય.

  • તેની આંખનો લેન્સ જરૂરિયાત મુજબ જાડો થઈ શકતો ન હોય.

  • તેની આંખના નેત્ર પટલમાં ખામી હોઈ શકે.

  • તેની આંખના લેન્સમાં દુધીયા રંગનું આવરણ જામી ગયું હોય.


14.
“નિશ્વિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ તે વાહક પર લાગુ પડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે.”- આ નિયમની ચકાસણી માટે નીચે જણાવેલ કયા પરિપથમાં એમિટર અને વોલ્ટમીટરનું જોડાણ બરાબર કરવામાં આવ્યું છે?

  • (R)

  • (Q)

  • (P)

  • (S)


Advertisement
15.

કાર્બન નેનોટ્યૂબ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • કાર્બન નેનોટ્યુબની તાણક્ષમતા એ સ્ટીલ કરતાં ખૂબજ ઓછી હોય છે. 

  • ઘણી વધારે તાણ લગાવવા છતાં નેનોટ્યૂબમાં કાયમી વિકૃતિ આવતી નથી.

  • કાર્બન નેનોટ્યુબની તાણક્ષમતાની સરખામણીમાં દાબીય ક્ષમતા વધારે હોય છે.

  • કાર્બન નેનોટ્યૂબને રબરની ટ્યુબની જેમ વાળી શકાય છે.


16.

માઇસ્ક્રોસ્કોપનો વિકાસ અતિશય નાની રચનાઓ કે જે નરી આંખે જોઇ શકાતી નથી તેમને જોવા માટે કરવામાં આવ્યો છે. નીચે કેટલાંક માઇક્રોસ્કોપ આપેલાં છે કે જેમનો આવિષ્કાર કરવામાં આવ્યો છે.

P ઓપ્ટીકલ માઇક્રોસ્કોપ
Q સ્કેનીંગ ટનલીંગ માઇક્રોસ્ક્રોપ
R એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ

ઉપર આપેલ માઇક્રોસ્કોપમાંથી કયા માઇક્રોસ્કોપનો ઉપયોગ નેનો માપનાં પદાર્થોની રચના જોવા માટે થઈ શકે?

  • ફક્ત Q અને R

  • ફક્ત P અને R

  • ફક્ત P અને Q

  • બધાં જ P, Q અને R


17.
નીચે જણાવેલા વોભાગો પૈકી વિભાગ-1 માં આંખની ખામીઓ, વિભાગ-2 માં તે ખામીને લીધે ઉદભવતી અસર અને વિભાગ-3 માં આ ખામીના નિવારણ માટે કયા લેન્સનો ઉપયોગ કરી શકાય તે લખેલ છે. યોગ્ય જોડ બનાવો.

  • 1-Z-b, 2-Z-b, 3-Y-b

  • 1-X-a, 2-Y-c, 3-X-a

  • 1-Y-b, 2-X-c, 3-Z-a 

  • 1-Y-a, 2-X-a, 3-Z-c


18.

નીચેની આકૃતિમાં ત્રણ જુદાં જુદાં અરીસા X, Y અને Z વડે પરાવર્તિત થતાં ત્રણ જુદાં જુદાં પરાવર્તિત કિરણો બનાવ્યાં છે. આ આકૃતિનોના સંદર્ભમાં આપેલા કોઠાનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો.



કયા અરીસાનો ઉપયોગ ડેસીંગ ટેબલમાં, વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે અને ડોક્ટર દ્વારા કરવામાં આવે છે?

  • X-વાહનોમાં સાઈડ ગ્લાસ, Y-ડોક્ટર દ્વારા, Z-ડ્રેસિંગ ટેબલ

  • X-ડોક્ટર દ્વારા, Y-ડ્રેસિંગ ટેબલ, Z-વાહનોમાં સાઈડ ગ્લાસ 

  • X-ડ્રેસીંગ ટેબલ, Y-વાહનોમાં સાઈડ ગ્લાસ, Z-ડોક્ટૅર દ્વારા 

  • X-ડોક્ટર દ્વારા, Y-વાહનોમાં સાઈડ ગ્લાસ, Z-ડ્રેસિંગ ટેબલ


Advertisement
19.

ભયદર્શક સિગ્નલમાં લાલ રંગનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં નીચે પૈકી કયા સિદ્વાંત/સિદ્વાંતોનો ઉપયોગ થાય છે?

P લાલ રંગના પ્રકાશનું ધુમ્મસ અથવા ધુમાડાની અસરને લીધે સૌથી ઓછું પ્રકીર્ણન થાય છે.
Q લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઇ ભુરા રંગની તરંગ લંબાઈ કરતા આશરે 1.8 ગણી વધુ હોય છે.

  • P અને Q બન્ને 

  • માત્ર Q 

  • માત્ર P

  • P અને Q પૈકી એકપણ નહી


Advertisement
20.

વધતી જતી વસતીને પરિણામે જરૂરિયાતો વધી છે. આજે સમગ્ર વિશ્વ ઊર્જાની કટોકટી અનુભવી રહ્યું છે ત્યારે આપણે પણ ઊર્જાનું સંરક્ષણ કરવું જોઈએ. નીચેના વિધાનો પૈકી કયું વિધાન ઊર્જા સંરક્ષણનો અભિગમ નથી?

  • પબ્લિક ટ્રાન્સપોર્ટના બદલે પોતાના અંગત વાહનનો ઉપયોગ કરવો.

  • રસોઈ માટે પ્રેશર કૂકરનો ઉપયોગ કરવો.

  • જરૂર ન હોય ત્યારે લાઇટ, પંખા, ટેલિવિઝન અને અન્ય સાધનોની સ્વિચ બંધ રાખવી

  • શાળાએ જવા માટે સાઇકલનો ઉપયોગ કરવો.


A.

પબ્લિક ટ્રાન્સપોર્ટના બદલે પોતાના અંગત વાહનનો ઉપયોગ કરવો.


Advertisement
Advertisement