CBSE
નીચેના પૈકી કયા નિવસનતંત્રની વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા સૌથી વધુ છે ?
ઉષ્ણકટિબંધના વર્ષાજંગલો
ઉષ્ણ કટિબંધના પાનખર જંગલો
સમશિતોષ્ણ સદાહરિત જંગલો
સમશીતોષ્ણ પાનખર જંગલો
ઉર્જાના પિરામિડ માટે આપેલ વિધાનો પૈકી કયું વિધાન અસત્ય છે ?
તે સીધો છે.
તે ઉંધો છે.
પાયાના ભાગે તે પહોળો છે.
દરેક પોષક સ્તરે ઉર્જાપ્રમાણ દર્શાવે છે.
જળસચક્ર અને મરુસંચક્ર અનુક્રમાણ સાથે થાય, તો ચરમાવસ્થા આવી હોઈ શકે.
ઉચ્ચ શુષ્ક અવસ્થા
અત્યંત ભેજયુક્ત અવસ્થા
શુષ્કોદ્દભિદ અવસ્થા
મધ્યમ પ્રકારની જળ-અવસ્થા
જો ઉત્પાદકોના સ્તરે 20J જેટલી ઊર્જાનો સંગ્રહ થયો હોય તો તે આપેક આહાશૃંખલામાં મોરમાં કેટલી ઉર્જા પ્રાપ્ત થાય ?
0.0002J
0.02J
0.002J
0.2J
નીચે પૈકી કયો સજીવ એક જ નિવસનતંત્રમાં એકથી વધુ પોષક-સ્તરે સ્થાન ધરાવે છે ?
દેડકો
બકરી
ચકલી
સિંહ
સૌ પ્રથમ નિવસનતંત્ર’ શબ્દ કોણે આપ્યો ?
એ.જી.ટેન્સલી
હેચ-સ્લેક
રૉબર્ટ હૂક
ઓડમ
તૃણાહારીઓ અને વિઘટકોના સ્તરે વપરાશ માટે રહેતા જૈવભારને શું કહે છે ?
કુલ પ્રાથમિક ઉત્પાદકતા
વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા
દ્વિતિય ઉત્પાદકતા
કુલ દ્વિતિય ઉત્પાદતા
નીચે આપેલ વિધાનો આહારશૃંખલા માટે છે. તે પૈકી કયાં બે વિધાનો સત્ય છે.
1. આપેલ વિસ્તારમાં 80% વાઘની નાબૂદી વનસ્પતિની વૃદ્ધિને ઉત્તેજે છે.
2. માંસાહારીઓની નાબૂદી હરણની વસતીમાં વૃદ્ધિ પ્રેરે છે.
3. સામાન્ય રીતે કોઈ પણ આહારશૃંખલામાં ઊર્જા-વ્યયને કારણે 3 થી 4 પોષક સ્તરો જોવા મળે છે.
4. આહારશૃંખલામાં 2 થી 8 સ્તરો સુધીની વિવિધતા જોવા મળે છે.
1,4
1,2
2,3
3,4
નીચે પૈકી કયા સજીવ તળાવના નિવસનતંત્રમાં એક કરતાં વધુ પોષક-સ્તરે સ્થાન ધરાવે છે.
વનસ્પતિપ્લવકો
પ્રાણીપ્લવકો
દેડકો
માછલી
કુદરતમાં વનસ્પતિના ખરી ગયેલા6 પર્ણ, શાખાઓ વગેરેનો વિઘટનનો દર ઓછો હોય છે. કારણ કે........
નિમ્ન સેલ્યુલોઝના પ્રમાણને કારણે
ઓછા ભેજને કારણે
નિમ્ન પ્રમાણમાં નાઈટ્રોજનને કારણે
તેમની આસપાસનું પર્યાવરણ અજારક હોય છે.