બીજા છપ્પા દ્વારા અખો શી પ્રેરાણા આપે છે ?
બીજા છપ્પા દ્વારા અખો જેમને સંસ્કૃત ભાષા સારી રીતે બોલતાં આવડતી ન હોય તેમને હિંમત આપે છે. અખો કહે ચે, કોઈને સાંસ્કૃત ભાષા બરાબર ન આવડતી હોય તો શું થયું ? પાકૃતભાષા(લોકભાષા) માં પોતાની ભાવના તો રજુ કરી શકાય ને ! પ્રાકૃતભાષામાં રજૂ કરે એટલે શું એની ભાવનાનું કોઈ મૂલ્ય જ નથી ? ભાષાના આટલું બધુ મહત્વ આપવાની શી જરૂર છે ? જેમ યુદ્ધના મેદાનમાં યોદ્ધો ભાષાથી નહિ, પણ પોતાની બહાદુરીથી લડે છે એટલે જ તે શૂરવીર કહેવાય છે. એમ ભાષા મહત્વની નથી, ભાષા દ્વારા રજૂ કરવામાં આવતી ભાવનાનું મૂલ્ય વિશેષ છે. આમ કહી અખો સૌને પ્રેરણાઅ અપે છે કે જીવનનો સઘળો સંસાર મૂળાક્ષરના બાવન અક્ષર પર ભલે ચાલતી હોય, પણ એથીય પર ત્રેપનમાં અક્ષરરૂપી પરમતત્વ પરમાત્માને જે જાણે તેનો જ બેડો પાર થી જાય અર્થાત સંસારમાંથી મુક્ત થઈ જાય.