પહેલા છપ્પા દ્વારા અખો શું કહેવા માંગે છે ?
પહેલા છપ્પા દ્વારા અખો કહેવા માગે છે કે અનુભવજ્ઞાન જ જીવનની અનેક વિટબણામાંથી બહાર નીકળવાનો સાચો રાહ દર્શાવે છે. અખો ઉંદર અને પંખીના દ્ર્ષ્ટાંત દ્વારા આ હકીકતને સ્પષ્ટ કરી આપે છે. જો નગરમાં આગ લાગે તો પંખીને તેની કોઈ ચિંતા કે ફરિયાદ નથી, કેમ કે એ આગથી બચવા પોતાની પાંખ વડે ઊડી જાય છે, પોતાની જાતને બચાવી શકે છે. પણ ઉંદર બિચારા ક્યાં જાય ? એટલે ડરના માર્યા ચૂં ચૂં અવાજ કરીને શોર મચાવે છે. એની પાસે પંખીની જેમ ઉડવાની તાકાત નથી. આમ, અજ્ઞાની જન ઉંદર બિચારા ક્યાં જાય ? એટલે ડરનાં માર્યા ચૂં ચૂં કરીને અવાજ(શોર) કર્યા કરે છે. એની પાસે પંખીની જેમ ઉદવાની શક્તિ નથી. આમ, અજ્ઞાની જન ઉંદર જેવા છે. એમની પાસે અનુભવજ્ઞાન નથી એટલે તેઓ સંસારની વિટંભણાઓથી ડરી જાય છે, પણ જ્ઞાનીજનો સંસારની વિટંબણાઓથી સહેજ પણ દરતા નથી. તેઓ પોતાના અનુભવજ્ઞાનરૂપી પાંખથી એ વિટંબનાઓને ઉકેલી શકે છે. ટૂંકમાં, અખાના કવાનું તાત્પર્ય એ છે કે અનુભવજ્ઞાનરૂપી પાંખો જ સંસારમાં વિટંભણાઓને ઉકેલવાનો એકમાત્ર ઉપાય છે.