CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નાયિકા-પ્રિયતમા પોતાના પ્રિયતમના વિરહમાં ઝૂરે છે. એકલતા અનુભવતી પ્રિયતમાના જીવનમાં ચાંદલિયો ઊગ્યો એટલે કે પ્રિયતમના આવવાથી એના હદયમાં ઉલ્લાસન અભાવ જાગ્યા. એને એમ થયું કે એના સૂના જીવનમાં ચંદ્ર જાણે સુરજ થઈને ઊગ્યો. સૂરજ આશાનું કિરણ લઈને આવ્યો છે એટલે એના આનંદની સીમા નથી. એ પ્રિયતમને ઉતારો કરવા, દાતઁ કરવા, સ્નાન કરવા, દૂધ પીવા, મૂખવાસ લેવા અને શયન કરવા જેવી તમામ ક્રિયાઓ એને ત્યાં કરે એવી વિનંતી કરે છે. એ નિમિત્તે પ્રિયતમ રોકાય તો એના વિરહનું દુઃખ દૂર થાય અને એના એકલવાયા જીવનમાં મિલનના આનંદનો સંચાર થાય. આમ, નાયિકા પ્રિયતમ પર ઓળઘોળ થઈ જાય છે.
નાયકના આતિથ્ય માટે નાયિકા શી શી વિનંતી કરે છે ?
નાયક નહિ રોકાવા માટે નાયિકને કયું કારણ આપે છે ?
નાયક રોકાવાની શા માટે ના કહે છે ?