નાયકના આતિથ્ય માટે નાયિકા શી શી વિનંતી કરે છે ?
નાયિકા નાયકના આતિથ્ય માટે અધિરી બની છે. નાયિકાએ પ્રિયતમના આતિથ્ય માટેની તમામ સામગ્રી તૈયાર રાખી છે. આથી પ્રિયતમ આવતાં જ નાયિકા એને ઉતારો કરતા જાઓ એવી વિનંતિ કરે છે. નાયિકાને વધારે સમય પોતાના પ્રિયતમ સાથે વિતાવવો છે. આથી દાતણ કરવા, સ્નાન કરવા, દૂધ પીવા., મુખવાસ લેવા અને શયનકરવા જેવી તમામ ક્રિયાઓ કરવા રોકાય એવી વિનનતી કરે છે. એ નિમિત્તે એટલો સમય પ્રિયતમના સાન્નિધ્યમાં રહેવય અને એનું એકલવાયું જીવન આનંદ અને ઉલ્લાસના રંગોથી હર્યુભર્યુ થાય એવી ભાવના રહેલી છે.