CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
આત્મવૃતાંતમાં વ્યક્તિએ પોતાના વિશે અમુક પ્રકારની મૂલ્યાંકન તુલા પર પોતાના શાબ્દિક પ્રતિભાવો રજૂ કરવાના હોય છે, જેને ‘આત્મવૃત્તાંત માપો’ કહેવાય છે. વ્યક્તિએ તુલામાં આપેલા પ્રશ્નો માટે ‘હા’. ‘ના’, ‘સંમત’, ‘અસમંત’, ‘ઘણી વાર’, ‘કેટલીક વાર’, ‘કદી નહિ’. વગેરે પ્રકારના ઉત્તરો આપવાના હોય છે. ઉત્તરદાતાઓ આપેલા ઉત્તરોને જેમ છે તેમ સ્વીકારવામાં આવે છે. કોઈ નિષ્ણાતે તેનું અર્થઘટન કરવાનું હોતું નથી. દરેક ઉત્તરને 0, 1, કે 2 એવું મૂલ્ય આપવામાં આવે છે. વ્યક્તિએ મેળવેલાં મૂલ્યોનો સરવાળો કરી, તુલા રચનારે શોધેલા માનાંકો વ્યક્તિએ મેળવેલા મૂલ્યોનો સરવાળો કરી, તુલા રચનારે શોધેલા માનાંકો પ્રમાણે વ્યક્તિના પ્રાપ્તાંકોનું અર્થઘટન કરવામાં આવે છે. આવાં માપોમાં એમ.એમ.પી.આઈ. ઈ.પી.ક્યુ. અને 16 પે.એફ. મુખ્ય છે. આત્મવૃતાંતનો નમૂનો નીચે પ્રમાણે છે.
આઈઝેન્કની વ્યક્તિત્વ પ્રશ્નાવલીની સમ્જૂતી નીચે પ્રમાણે છે :
આઈઝેન્કની વ્યક્તિત્વ પ્રશ્નાવલી : આઈઝેન્કે વ્યક્તિત્વની આ પ્રશ્નાવલી વડે પાયાનાં ત્રણ પરિમાણોનુંં માપન કર્યું છે : 1. અંતર્મુખ અને બહિર્મુખ વ્યક્તિત્વ પરિમાન, 2. સ્થિર આવેગિક વ્યક્તિત્વ પરિમાણ અને અસ્થિર આવેગિક વ્યક્તિત્વ પર્માણ, 3. મનોવિકૃતિ.
આ પરિમાણો વ્યક્તિત્વના 32 ગુણોને આવરી લે છે. આ ઉપરાંત અન્ય માટે લાગણીનો અભાવ, અન્ય સાથે આંતરક્રિયા કરવાની અસરકારક રીતે અને સામાજિક રૂઢી, રિવાજ, પરંપરાને ફગાવી દેવાના વલણોનો પણ સમાવેશ થાય છે.
જો મનોવિકૃતિના પરિમાણ પર વ્યક્તિ ઊંચો પ્રાપ્તાંક મેળવે તો તે દુશ્મનાવટભર્યો, આત્મકેન્દ્રિ અને સમાજવિરોધી હોવાનુંં ધરાવે છે.