CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પર્યાવરણને બચાવવા માટેના ત્રણ ‘R’ સમજાવો.
ટુંકમાં સમજાવો : નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન
ભારતમાં 7,68,436 ચો કિમીજંગલ વિસ્તારો છે, જે કુલ જમીન વિસ્તારના 23.38% જ છે. ગુજરાતમાં કુલ 18,999 ચો કિમી જંગલ વિસ્તાર છે, જે કુલ જમીન વિસ્તારના 9.69% જ છે.
જંગલોની અગત્ય :
જંગલો ખૂબ જ કીમતી સ્ત્રોત છે. જંગલમાંથી ખોરાક, ઘાસચારો, ઈમારતી લાકડું, બળતણનું લાકડું, ઔષધો, ગુંદર, રબર, રેઝીન, કાથો, વાંસ વગેરે મળે છે.
જંગલમાંથી મળતા વાંસનો મુખ્ય ઉપયોગ ઝૂંપડીના ટેકા અને વસ્તુઓના સંગ્રહ માટેની ટોપલીઓ બનાવવામાં થાય છે.
જંગલો અસંખ્ય પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓનું કુદરતી વસવાટ સ્થાન છે.
જંગલો પર્યાવરણની જાળવણી માટે ખૂબ મહત્વનાં છે. યોગ્ય ઋતુચક્રોના સંચાલન, દ્રવ્યચક્રોની જાળવણી, વરસાદની નિયમિતતા, ભૂમિ ફળદ્રુપતાની જાળવણીમાં અગત્યના છે.
ભારે વરસાદ અને ખૂબ ઝડપી પવનોની ગતિ ઘટાડી તેના દ્વારા થતા ભૂમિના ધોવાણને નિયંત્રિત રાખે છે.
ટૂંક નોંધ લખો :
પર્યાવરણ બચાવવા માટે Reduce
નૈસર્ગિક સ્ત્રોતો એટલે શું ? માનવીની કઈ કઈ જરૂરિયાતો પૃથ્વી પૂરી પાડે છે ?