CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
લીલું પાંદડું લીલું અને લાલ ગુલાબ લાલ કેમ દેખાય છે? સમજાવો.
જે રંગનો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે છે તે રંગનું સંવેદન આપણે અનુભવીએ છીએ.
જ્યારે કોઈ પદાર્થ પર પ્રકાશ આપાત થાય છે ત્યારે આપાત પ્રકાશમાંના કેટલાક રંગોનું પદાર્થ શોષણ કરે છે અને રંગો(અથવા રંગ) નું પરાવર્તન કરે છે.
પદાર્થ પરથી પરાવર્તન પામતો પ્રકાશ પદાર્થનો રંગ નક્કી છે. વર્ણપટના લીલા સિવાયના બધા રંગોનું શોષણ કરે છે અને માત્ર લીલા રંગનું જ પરાવર્તન કરે છે. આથી લીલું પાંદડું લીલું દેખાય છે.
આ જ રીતે લાલ ગુલાબ માત્ર લાલ રંગનું પરાવર્તન કરે છે અને બાકીના રંગોનું શોષણ કરે છે. આથી લાલ ગુલાબ લાલ દેખાય છે.
શ્વેત પ્રકાશનો વર્ણપટ એટલે શું?
કારણ આપો.
સુર્યોદય અને સુર્યાસ્ત અનુક્રમે બે મિનિટ વહેલો અને બે મિનિટ મોડો થતો જણાય છે.
કઈ પ્રાકૃતિક ઘટના દર્શાવે છે કે ‘’ શ્વેત પ્રકાશ સાત રંગોનો બનેલો છે’’ ?
શ્વેત પ્રકાશ સાત ઘટક રંગોનો બનેલો છે,તે દર્શાવતો ન્યુટનનો પ્રયોગ આકૃતિ સહિત સમજાવો.
અથવા
પ્રિઝમ વડે સાત રંગઓનું પુનઃસંયોજન કરી શ્વેત પ્રકાશ કેવી રીતે મેળવી શકાય તે યોગ્ય કિરણાકૃતિ દોરીને સમજાવો.