CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ગરીબી નિવારણ કાર્યક્રમ અન્વયે ભારત સરકારે ‘કૃષિક્ષેત્રે’ અમલમાં મૂકેલી યોજનાઓ નીચે મુજબ છે.
1.પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના : આ યોજના દ્વારા કૃષિઉત્પાદનના દરમાં વધારો થાય, કૃષિ સંલગ્ન વિભાગોનો વિકાસ થાય, સિંચાઈની સવલતોમાં વધારો થાય, જળસંકટ નાથવા માટે નાનાં-મોટા ચૅકડેમો બાંધવા વગેરે હેતુઓ સિદ્ધ કરીને ખેડુતોને ખેતીનાં જોખમો અને દેવાથી બચાવવાનો તેમજ રોજગારી પૂરી પાડીને તેમને ગરીબીમાંથી ઉપર લવવાનો પ્રયાસ છે.
2.પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના : આ યોજના ખેતસુરક્ષા વીમા યોજના મુજબ કુદરતી આફતોથી ખેતીના ઉભા પાકને થતા નુકશાન માટે ખેડુતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત, ટકાના ભાવે કપાસની ખરીદીમાં ખેડૂતોને બોનસ આપવમાં આવે છે. કૃષિપેદાશોના ભાવો સ્થિર રાખવા માટે સરકારે ; ક્ષતિમુક્ત કૃષિભાવ પંચ’ની રચના કરી છે.
3.રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ : આ કાર્યક્રમ હેઠલ સરકારે દરેક ખેતરને પાણી, હયાત કૅનાલનાં માળખાં સુધારવાં, જમીન-ધોવાણ અટકાવવું. અનુસૂચિત જનજાતિના ખેડુતો માટે ટુબવેલ બનાવવા, ક્ષાર-પ્રવેશ નિયંત્રણ વગેરે કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. આ ઉપરાંત તળાવોનું ખોદકામ, વૉટર શૅડ વિકાસ, ટાંકી-નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, વનીકરણ, નહેરોનું બાંધકામ, બગાયત કામ, ચૅકડેમોનું બાંધકામ વગેરે રોજગારલક્ષી કાર્યક્રમો દ્વારા ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત કુટુંબોને ગરીબીમાંથી ઉપર લાવવા પ્રયત્નો કરવામાં આવે છે.
4. ઈ-નામ યોજના : આ યોજનાનો મુખ્ય હેતું કૃષિપેદાશોના વેચાણના વચેટિયાઓ અને દલાલોથી ખેડુતોને થતું આર્થિક નુકશાન અટકાવવાનો તેમજ ખેડુતોને તેમની પેદાશોની હરીફાઈથી વધુ લાભ અપાવવાનો છે. આ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિબજાર ઊભુ કર્યું છે. તેમાં ખેડુતો પોતાની પેદાશોને ઓનલાઈન સુચિબદ્ધ કરાવી શકે છે. વેપારી એ પેદાશોની કોઈ પણ જગ્યાએથી બોલી લગાવી શકે છે.
ગરીબીનિવારણ કાર્યક્રમ અન્વયે ‘ગ્રામોદયથી ભારતઉદય’ કાર્યક્રમ હેઠળ સરકારે લીધેલાં પગલાં નીચે પ્રમાણે છે :
ગ્રામોદયથી ભારતઉદય : આ કાર્યક્રમમાં રાષ્ત્રીય પેયજળ કાર્યક્રમ હેઠળ કરવામાં આવતાં તમામ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અ કામોનો મુખ્ય હેતુ રોજગારીની તકોનું સર્જન કરી ગામડાઓને સમૃદ્ધ બનાવવાનો છે. આ યોજનાનાં કામોમાં ગરીબોને ન્યૂનત્તમ વેતન આપવામાં આવે છે.
આ કાર્યક્રમ વન્ય પ્રાણીઓથી પાકોનું રક્ષણ કરવા તારની વાડ બાંધવા આર્થિક સહય, અછત કે દુષ્કળના સમયે પશુધનને બચાવવા માટે ઘાસ-ઉત્પાદન તથા પશુ-શેલ્ટર બાંધવા માટે સહાય, આધુનિક ટેકનોલૉજીથી વરસાદની આગાહી, જમીનનો સર્વે કરી તેનો રેકૉર્ડ રાખવાની જોગવાઈ, ખેતીનાં યાંત્રિક સાધનોની ખરીદીમાં સબસિડી આપવી, મસાલાની ગુણવત્તા માટે નવી ટેસ્ટિંગ લૅબોરેટરી સ્થાપવી વગેરેનો સમાવેશ થાય છે.