લેખકની મુસાફરી એમને માટે યાત્રા બની રહેતી, કારણ કે દરેક મુસાફરીમાં તેમની તમામ વૃત્તિઓ ઠરીઠામ થઈ જતી, ડાહીડમરી બની જતી. તેમને સૌંદર્યના અસ્તિત્વની શ્રેષ્ઠતા અને ભવ્યતા બંનેનો નજીકથી અને બારીક અનુભવ થતો. એમાં તેમનું પોતાનું અસ્તિત્વ ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવાતું.