પ્રથમ મુક્તકમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે તે વિસ્તારથી સમજાવો.
પ્રથમ મુક્તકમાં કવિ એ વાતની ચેતવણી આપે છે કે જગતમાં કદી હાર જ ન હોય અને સુખ અને દુ:ખનો કોઈ પ્રકાર જ ન હોય એમ માનવું નહી. માનવીનું જીવન એક ગતિશીલ ચક્ર જેવું છે. એની સાથે હાર અને જીત તથા સુખ અને દુ:ખ સંકળાયેલાં છે. જગતમાં એવો કોઈ મુગટ બન્યો જ નથી જેને માંથા પર મૂકતાં એનો ભાર ન લાગે. એટલે જેના માથે મુગટ હોય તેના માથે અનેકગણી જવાબદારી હોય છે. એ જવાબદારી એને નિભાવવી જ પડે છે. મુગટ કાંઈ માત્ર શોભા માટે નથી.