વટાણામાં બીજના રંગ અને આકારનાં લક્ષણો માટે વારસાગમનની સમજૂતી આપો.
અથવા
મેન્ડલના પ્રયોગના આધારે વટાણામાં બે જુદાં જુદાં લક્ષણોની સ્વતંત્ર આનુવંશિકતા સમજાવો.
મેન્ડલે વટાણા માં આનુવંશિકતાના અભ્યાસ માટે બે લક્ષણો બીજનો રંગ અને બીજનો આકાર પસંદ કર્યા.
વટાણામાં બીજના રંગ માટે પીળા બીજ અને લીલા બીજની અભિવ્યક્તિ, જ્યારે બીજના આકાર માટે ગોળ બીજ અને ખરબચડા બીજની અભિવ્યક્તિ જોવા મળે છે.
મેન્ડલે પિતૃ (P)તરીકે પીળા અને ગોળ આકારના બીજ ધરાવતા છોડનું સંકરણ લીલા અને ખરબચડા બીજ ધરાવતા છોડ સાથે કર્યું.
પ્રથમ પેઢી (F1)માં બધા જ છોડ પીળા અને ગોળ આકારના બીજ ધરાવતા મળ્યા. આ પરથી કહી શકાય કે પીળો રબ્ગ અને ગોળ આકારના બીજ પ્રભાવી લક્ષણો છે.
જ્યારે F1 પેઢીના છોડ(પીળા રંગ અને ગોળ આકારના બીજ ધરાવતા)માં સ્વફલન કરાવતાં પિતૃ સંયોજનવાળા છોડ (પીળા અને ગોળ બીજ તેમજ લીલા અને ખરબચડા બીજ ધરાવતા છોડ) અને નવા સંયોજનવાળા (પીળા અને ખરબચડા બીજ તેમજ લીલા અને ગોળ બીજ) છોડ F2 પેઢીમાં ઉત્પન્ન થયા.
આ દર્શાવે છે કે બીજના રંગ પીળા કે લીલા બીજ માટેનાં લક્ષણો અને બીજના આકાર ગોળ કે ખરબચડા બીજ માટેનાં લક્ષણો મુક્ત રીતે વારસાગમન પામે છે.
બીજના પીળા રંગ માટે પ્રભાવી જનીન Y અને લીલા રંગ માટે પ્રચ્છન્ન જનીન y તેમજ બીજના ગોળ આકાર માટે પ્રભાવી જનીન R અને ખરબચડા આકાર માટે પ્રચ્છન્ન જનીન r છે.