CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નોઆમ ચોમસ્કીનો ‘જન્મજાત સિદ્ધાંત’ સમજાવો.
ધ્વનીઓના કેટલાંક જોડાણોથી અર્થપૂર્ણ શબ્દ બને છે. દા.ત., ગ + ગ + ન = ગગન, ગ + ર + મ = ગરમ ગ + જ + બ = ગજબ, ગ + જ + લ = ગઝલ. ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણ એકમને મોર્ફિન કહેહેવામાં આવે છે. દા.ત. (i) ‘યોજન’ એ મોર્ફીમ છે તેને ‘આ’ પ્રત્યય લગાડવાથી ‘યોજના’ શબ્દ એક જ છે, પરંતુ તેમાં બે મોર્ફીમ રહેલા છે. : 1. યોજન અને 2. કાનો. (ii) ‘યુવાન’ એ મોર્ફીમ છે. તેને પ્રત્યયો લગાડવાથી બીજો શબ્દ બને છે. દા.ત., ‘યુવાનો’ આ શબ્દ એક જ છે, પરંતુ તેમા બે મોર્ફીન રહેલા છે : 1. યુવાન અને 2. કાનો તથા માત્રા. જેના લીધે ‘યુવાનો’ શબ્દ બને છે. ‘યુવાન’ શબ્દ કોનામાત્રા ઉમેઅરવાથી શબ્દનો અર્થ બદલાઈ જાય છે. ‘યુવાનો’ શબ્દ બહુવચન સુચવે છે. (iii) ‘રમવુ’ ક્રિયાપદ એક મોર્ફીમ છે. તેમાં બીજો મોર્ફીમ ‘છે’ ઉમેઅરવાથી ‘રમે’ છે.’ એ વર્તમાન ક્રિયા સૂચવે છે. પરંતુ ‘શે’ મોર્ફીમ ઉમેરવાથી ‘રમશે’ એવો શબ્દ બને છે, જે ભવિષ્યની રમવાની ક્રિયા સુચવે છે. ‘યો’ મોર્ફીમ જોડાક્ષરરૂપે ઉમેરવાથી ‘રમ્યો’ શબ્દ બને છે, જે ભૂતકાળમાં થયેલી ક્રિયા સૂચવે છે.
દરેક ભાષામાં મોર્ફીમને રચના અને સંયોજનો અંગેના નિયમો હોય છે, આવા નિયમોને ‘અર્થપૂર્ણ એકમો અંગેના નિયમો’ કહે છે. આવા નિયમોમાં પૂર્વગો, ઉપસર્ગો અને બીજા પ્રત્યયો ઉમેરવાથી શબ્દોના અર્થમાં ફેરફાર થાય છે. દા.ત. ‘ભરણ’ અને ‘ભરણી’.