CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સર્વેક્ષણ પદ્વતિમાં માહિતી એકત્રિત કરવા માટે મુલાકાત અને પ્રશ્નાવલિ એમ બે પ્રયુક્તિઓ હોય છે.
પ્રશ્નાવલિ પ્રયુક્તિ એટલે સંશોધન માટે ઉત્તરદાતાઓ પાસેથી માહિતી એકત્રિત કરવા માટેના પ્રશ્નોની યાદી.
ઉત્તરદાતાઓને પ્રશ્નાવલિ બે રીતે આપી શકાય છે : (1) રૂબરૂ સંપર્ક કરીને અને (2) ટપાલ કે ઈ-મઈલ કરીને.
નજીકના વિસ્તારમાં રહેતા ઉત્તરદાતાઓ પાસે રૂબરૂ જઈને પ્રશ્નાવલિ આપી શકાય છે અને માહિતી મેળવી શકાય છે.
જ્યારે દૂરના અંતરે રહેતા ઉત્તરદાતાઓને ટપાલ દ્વારા કે ઇ-મેઇલ દ્વારા પ્રશ્નાવલિ મોલકીને, તેમની પાસેથી ઓછા ખર્ચે માહિતી મેળવી શકાય છે.