CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વ્યક્તિ સમાજના સંદર્ભમાં અન્ય વ્યક્તિ સાથે જોડાઇને સામાજિક ક્રિયા કરે છે, ત્યારે એકબીજા પર અસર કરે છે. આવી પારસ્પરિક ક્રિયાને ‘સામાજિક આંતરક્રિયા’ કહેવામાં આવે છે.
સામાજિક આંતરક્રિયાનાં લક્ષણો :
1. બે કે તેથી વધુ પક્ષો :
સામાજિક આંતરક્રિયા માટે ઓછામાં ઓછા બે કે તેથી વધુ પક્ષો અનિવાર્ય છે. એક પક્ષથી સામાજિક આંતરક્રિયા થતી નથી. દા. ત., પતિ અને પત્ની તથા માતા અને બાળક વચ્ચે થતી સામાજિક આંતરક્રિયા બે વ્યક્તિઓ વચ્ચેની છે. જ્યારે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે થતી સામાજિક આંતરક્રિયા વ્યક્તિ અને જૂથ વચ્ચેની છે. ક્રિકેટની બે ટીમો વચ્ચે થતી સામાજિક આંતરક્રિયા બે જૂથો વચ્ચેની છે. સામાજિક આંતરક્રિયા પ્રત્યક્ષ કે મોઢામોઢની પણ હોઈ શકે છે. અથવા સામાજિક આંતરક્રિયા પરોક્ષ સ્વરૂપની પણ હોઈ શકે છે. અથવા સામાજિક આંતરક્રિયા પરોક્ષ સ્વરૂપની પણ હોઈ શકે છે. પરોક્ષ સ્વરૂપની આંતરક્રિયામાં સમૂહ માધ્યમોની જરૂર પડે છે.
2. માધ્યમ :
માત્ર બે પક્ષથી જ સામાજિક આંતરક્રિયા શક્ય બનતી નથી, પરંતુ પરસ્પર બંને પક્ષો વચ્ચે અસર ઊભી કરવા અથવા અર્થપૂર્ણ અભિવ્યક્તિ કરવા કોઈ પણ માધ્યમ હોવું જરૂરી છે. માધ્યમમાં શારીરિક હાવભાવનું કોઈ પણ સ્વરૂપ, શાબ્દિક ભાષા, ચિત્રો વગેરેનો ઉપયોગ થઈ શકે છે. દા. ત., બહેરા-મૂંગા વ્યક્તિઓ વચ્ચે થતી ક્રિયા અને પ્રતિક્રિયા. સામાજિક આંતરક્રિયામાં જે માધ્યમનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તે માધ્યમ સામાજિક અર્થ ધરાવવું હોવું જોઈએ અને માધ્યમ દ્વારા વ્યક્તિ થતા અર્થ, ભાવ અને લાગણી બધા પક્ષો સમજતા હોવા જોઈએ. દા. ત., રાષ્ટ્રધ્વજ, શાળામાં વિદ્યાર્થીઓનો ગણવેશ.
3. પારસ્પરિક અસર :
સામાજિક આંતરક્રિયા પરસ્પર અસર ઉપજાવનારી ઘટના છે. જેમાં વ્યક્તિ અથવા જૂથ પર વાણી, ભાષા, પુસ્તકો, ટેલિવિઝન, ફિલ્મો વગેરે દ્વારા અસર ઊભી થાય છે. જે અસર બાહ્ય વર્તન સ્વરૂપે તથા વલણ, માન્યતા, હિત, અપેક્ષા વગેરે જેવી આંતરિક અસર સ્વરૂપે થઈ શકે છે. દા. ત., બાળક માતા-પિતાના સૂચન મુજબ જે વર્તન કરે તે બાહ્ય અસર છે અને બાળકને માતા-પિતા માટે જે અહોભાવ મનમાં પેદા થાય તે આંતરિક અસર છે.
આમ, સામાજિક આંતરક્રિયા પરસ્પર સંબંધવાળી પ્રવૃત્તિ છે. તે પરસ્પર ઉદ્દીપનની પ્રક્રિયા છે અને પરસ્પર અવલંબિત છે.