CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સંઘર્ષ હેતુઓના વિરોધાભાસથી, અન્યાયમાંથી, શોષણમાંથી, વિચારસરણીના વિરોધમાંથી કે સ્થાપિત હિતોના અસંતોષમાંથી સર્જાય છે. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સંઘર્ષો પરસ્પરના અનુકૂલનના અભાવથી, વિચારો કે માન્યતાઓના તફાવતથી કે સમાજીકરણના તફાવતમાંથી ઉદભવે છે. ઔદ્યોગિક ક્ષેત્રોના સંઘર્ષો આર્થિક અન્યાય, શોષણ કે અન્ય વ્યક્તિઓના હસ્તક્ષેપમાંથી ઊભા થાય છે. રાજકીય પક્ષો વચ્ચેના સંઘર્ષો સત્તા મેળવવા માટે કે વિચારસરણીના તફાવતને લીધે સર્જાય છે. શૈક્ષણિક જૂથોના સંઘર્ષો કાર્યની નિષ્ફળતામાંથી સર્જાય છે. આમ, સંઘર્ષના ઉદભવ માટે અનેક પરિબળો જવાબદાર છે.