માનવી એક સામાજિક પ્રાણી તરીકે ઓળખાય છે. - સમજાવો.
વ્યક્તિ અને સમાજ પરસ્પર સંબંધિત છે. વ્યક્તિ વિનાના સમાજની કલ્પના અશક્ય છે. સમાજ વગર માનવીની સભ્યતા કે સંસ્કૃતિ અસ્તિત્વ ધરાવી શકતી નથી. સંસ્કૃતિ માનવસમાજનું આવશ્યક લક્ષણ છે. માનવીના સામાજિક સંબંધોની રચના સંસ્કૃતિ દ્વારા જ થાય છે. ધર્મ, ભાષા, રેતરિવાજો, સંસ્થાઓ, ધોરણો, મુલ્યો, આદર્શો, કાયદા વગેરે સંસ્કૃતિનાં વિવિધ તત્વો માનવીનું સામાજિક જીવન શક્ય બનાવે છે. આમ, માનવી સામાજિક પ્રાણી છે. એમ કહેવાય.