Chapter Chosen

સપુષ્પ વનસ્પતિઓની અંત:સ્થ રચના

Book Chosen

NEET જીવવિજ્ઞાન પ્રશ્ન બેંક

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

વિધાન x : N. Grew ને વનસ્પતિ અંતઃસ્થ રચનાના પિતા કહે છે, જ્યારે K. A. Chaudhary ને ભારતીય વનસ્પતિ અંતઃસ્થ રચનાના પિતા ગણવામાં આવે છે.

વિધાન y : સૌપ્રથમ પેશી શબ્દ Nehemiah Grew દ્વારા પ્રયોજાયો.

વિધાન z : કાર્લ નાગેલીએ વનસ્પતિ પેશીને વર્ધમાન તથા અવર્ધમાન એમ બે ભાગમાં વહેંચી છે.

  • x,y ખોટાં, z- સાચું છે. 

  • x,z ખોટાં, y- સાચું છે.

  • બધા જ વિધાનો ખોટા છે. 

  • બધાં જ વિધાનો સાચાં છે. 


નાનાં પર્ણો કદમાં મોટાં બને તે માટે કઈ પેશી જવાબદાર છે ?

  • સીમાવર્તી વર્ધમાન પેશી 

  • વિક્ષૈધા

  • આંતરપુલીય એધા 

  • આંતરર્વિષ્ટ વર્ધમાન પેશી 


વિધાન A :ચાલનીનલિકા તથા સાથી કોષોને ‘સંતતિ કોષો’ તરીકે ઓળખવામાં આવે છે.

કારણ R : બંને કોષો એક જ માતૃકોષમાંથી ઉત્પન્ન થાય છે.

  • વિધાન A તથા કારણ R સાચાં, કારણ R વિધાનની સમજૂતી આપે છે. 

  • વિધાન A તથા કારણ R સાચાં, કારણ R વિધાનની સમજૂતી આપતું નથી. 

  • વિધાન A સાચું, કારણ R ખોટું

  • વિધાન A ખોટું, કારણ R સાચું


ફળોના ગરમાં મોટે ભાગે કઈ પેશી જોવા મળે છે ?

  • હરિતકણોત્તક

  • મૃદુત્તક 

  • સ્થૂલકોણક 

  • દ્દ્ઢોત્તક 


Advertisement

વિધાન A : લીલ – ફૂગમાં અગ્રીય વર્ધમાન પેશી ગેરહાજર હોવા છતાં તેઓ કદ-લંબાઈમાં વધે છે.

કારણ R : તેના દરેક કોષ વિભાજનશીલ હોવાથે તેને વર્ધમાનપેશીની જરૂરિયાત રહેતી નથી.

  • વિધાન A તથા કારણ R સાચાં, કારણ R વિધાનની સમજૂતી આપે છે. 

  • વિધાન A તથા કારણ R સાચાં, કારણ R વિધાનની સમજૂતી આપતું નથી. 

  • વિધાન A સાચું, કારણ R ખોટું

  • વિધાન A ખોટું, કારણ R સાચું


A.

વિધાન A તથા કારણ R સાચાં, કારણ R વિધાનની સમજૂતી આપે છે. 


Advertisement
Advertisement