વલ્લભભાઇ બાળપણથી જ નીડર હતા એવું આપણે કયા ઉદાહરણ પરથી કહી શકીએ ?
વલ્લભભાઇ નાના હતા ત્યારે એમને કાખબલાઈ થઈ હતી. વૈદ્યરાજ એના ઇલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનું વિચારતા હતા, પણ કુમળા બાળકને જોઈ તેઓ વિમાસણમાં પડી ગયાં. આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ એમણે જાતે જ ડામી દીધી. સૌ એમની નીડરતા જોઈને દંગ રહી ગયા હતા.