શ્રીકૃષ્ણના વૈભવનું વર્ણન કરો.
શ્રીકૃષ્ણ દ્વારિકા નગરીના એક રાજા છે. તેઓ રાજમહેલમાં હિંડોળાખાટ પર સૂતા છે. તેમને આઠ પટરાણીઓ છે. તે પટરાણીઓ તેમની વિવિધ પ્રકારે સેવા કરે છે. ત્યાં જાતજાતનાં વાજિંત્રો વાગે છે. વાજિંત્રોના તાલે મુગ્ધા બાલકિશોરી, શ્યામછબીલી, હંસગામિની, ગજગામિની, મૃગનયનની યુવતીઓ નાચગાન કરીને શ્રીકૃષ્ણને રીઝવે છે.