ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયનાં મુખ્ય કારણો કયાં કયાં હતાં ?
ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયનાં મુખ્ય કારણો :
(1) રાજકીય : 19મી સદીના મધ્ય ભાગ સુધીમાં સમગ્ર ભારતમાં એકહથ્થુ બ્રિટિશ સત્તા સ્થપાઈ. પરિણામે દેશમાં એકસરખું વહીવટતંત્ર અમલમાં આવ્યું. આથી ભારતના લોકોમાં રાજકીય એકતા ભાવના જન્મી.
(2) આર્થિક : અંગ્રેજોની આર્થિક શોષણનીતિને કારણે ભારતનો કારીગરવર્ગ બેકાર થઈ ગયો. એ નીતિનો ભોગ દેશના ખેડૂતો અને જમીનદારો પણ બન્યા. ભારતના ભોગે ઈંગ્લૅન્ડને સમૃદ્વ બનાવવાની અંગ્રેજનીતિને લીધે આ વર્ગોમાં રોષ પેદા થયો. તેમણે તેમના હકો માટે સંઘો સ્થાપ્યા. આથી દેશના એ વર્ગોમાં રાષ્ટ્રીય જાગૃત્તિ આવી.
(3) વાહન અને સંદેશાવ્યવહારનાં સાધનો : ભારતમાં રેલવે, તાર-ટપાલ, આગબોટ વગેરે ઝડપી વાહનો અને સાધનોનો વિકાસ થતાં લોકોની અવરજવર વધી. પરિણામે દેશના લોકો એકબીજાની નજીક આવ્યા. તેમની વચ્ચે વિચારોની આપ-લે વધી. તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થયા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો અને યોજનાઓ પ્રજામાં ફેલાવી શક્યા.
(4) શિક્ષણ અને સાહિત્ય : ભારતમાં અંગ્રેજી શિક્ષણનો ફેલાવો થવાથી લોકોને લોકશાહી, સ્વતંત્રતા, સમાનતા, રાષ્ટ્રવાસ વગેરે માટે પ્રેરણા મળી. આથી તેમના રાજકીય દ્વષ્ટિકોણમાં પરિવર્તન આવ્યું. અંગ્રેજી કેળવણીએ શિક્ષિઓત ભારતીયોને એક બનાવ્યા.
આ સમયમાં ભારતની પ્રાદેશિક ભાષાઓમાં લખાયેલા વિવિધ પ્રકારના સાહિત્યે રાષ્ટ્રીય ભાવના વિકસાવવામાં મહત્વનો ફાળો આપ્યો. એ સાહિત્યે લોકોને રાષ્ટ્રભક્તિનો સંદેશો આપ્યો.
(5) વર્તમાનપત્રો :રાષ્ટ્રીય વર્તમાનપત્રોએ સરકારની નીતિઓની ટીકા કરી, લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિ ફેલાવી અને રાષ્ટ્રીય ભાવનાને ઉત્તેજન આપ્યું.
(6) ભારતનો ભવ્ય વારસો : પશ્વિમના અને ભારતના પુરાતત્વવિદોએ શોધેલ ભારતની પ્રાચીન સંસ્કૃતિના અવશેષોએ ભારતીયોને તેમના ભવ્ય અને ગૌરવશીલ વારસાનો પરિચય કરાવ્યો. તેનાથી લોકોમાં રાષ્ટ્રીય અસ્મિતા જાગ્રત થઈ.