બકસરની લડાઈ શાથી થઈ ? તેનું શું પરિણામ આવ્યું ?
અંગ્રેજોએ મીરજાફરને પદભ્રષ્ટ કરી તેના જમાઈ મીરકાસીમને બંગાળનો નવાબ બનાવ્યો. નવાબ બન્યા પછી મીરકાસીમ પરેશાન કરવા લાગ્યો. તેથી અંગ્રેજોએ તેને પદભ્રષ્ટ કરવા નિર્ણય કર્યો. (મીરકાસીમે અંગ્રેજો સામે પુદ્વ કરવા અયોધ્યાના નવાબ અને મુઘલ બાદશાહ શાહઆલમનાં લશ્કરોની મદદ લઈ સંયુક્ત સેના તૈતાર કરી.) મીરસાસીમની સંયુક્ત સેના અને અંગ્રેજો વચ્ચે ઈ.સ 1764માં બક્સરના મેદાનમાં લડાઈ થઈ. આ લડાઈમાં અંગ્રેજોની જીત થઈ. યુદ્વને અંતે અંગ્રેજોએ મીરકાસીમને તેના પદ પરથી પદભ્રષ્ટ કરી મીરજાફરને ફરીથી બંગાળનો નવાબ બનાવ્યો.