જગડુશા દેશભક્ત કહેવાય કે પ્રજાવાત્સલ્ય ? કારણ આપો.
જગડુશા દેશભક્ત અને પ્રજાવત્સલ એમ બન્ને કહી શકાય કારણ કે, માનસમાં દેશભક્તિ હોય તો જ એ પ્રજાવત્સલ બને. જગડુશા સંકટ સમયે પ્રજા માટે આપબળે એકઠી કરેલી કમાણી અને કોઠરમાં એકઠું અનાજ પ્રજા માટે ખુલ્લું મૂકી દે છે. તેમણે પોતાની વખારોમાં મૂકેલાં તામ્રપત્રોમાં લખ્યું હતું કે આ વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું નમાન એનાં ભૂખે મરતાં ગરીબ ભાઇભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી પ્રજા જ આ અનાજની માલિક છે. એના એક પણ દાના પર જગડુશાનો હક નથી. જ્યારે રાજા વિશળદેવના રાજ્યમાં દુષ્કાળ પડ્યો ત્યારે તેમણે પોતાની અનાજની ચાળીસ વખારો રાજા વિશળદેવની ભુખે મરતી પ્રજા માટે ખુલ્લી મૂકી દીધી. આથી જડડુશા દેશભક્ત કહેવાય અને પ્રજાવત્સલ પબ કહી શકાય.