CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ગોપાળબાપાના ગુરુ માંડણ ભગતમાં અનોખું તેજ હતું. ગોપાળબાપાના ગુરુએ જ એમને હરિનામનો વેપાર કરવાનું કહ્યું હતું. માંડણ ભગતનો વર્ણ કાળો હતો. એમની આંખો નીચી રાખવાની ટેવ હતીએ. એમનું હાસ્ય બાળકના જેવું નિર્મળ હતું અને એમનો અવાજ વાંસળી જેવો હતો. તેઓ કુતરાંનું ધ્યાન રાખતા. ગલૂડિયાં સાથે ન સમજાય એવી ભાષામાં વાતો કરતા અને મરક મરક હસતા. એક વાર શરીર પર ચદી ગયેલ ગીંગોડાને ઉખેડવાની ના પાડતાં કહ્યું, ‘રે’વા દ્યો એને. એને વળી બીજે ખાજ લેવા જાવું પડશે ને ? બહુ દી થઈ ગ્યા છે એને.’ માંડણ ભગતના આ શબ્દો ગીતામાં કહ્યું છે તેમ ‘હું દેહ નથી, પર આત્મા છું’ એની પ્રતીતિ કરાવે છે.