CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પરમાણુ બૉમ્બ પરમાણું શસ્ત્ર છે. માનવીએ શોધેલાં સંહારક શસ્ત્રોમાં તે સૌથી વધુ ઘાતક, સંહારક અને અંતિમ શસ્ત્ર છે.
ઈ.સ. 1945માં અમેરિકાએ જાપાનના હિરોશિમા નાગાસાકી શહેરો પર અણુંબૉમ્બનો ઉપયોગ કરી જગતને તેને મહાવિનાશક શક્તિની પ્રતીતિ કરાવી હતી.
એ પછી થોડાં વર્ષોમાં સોવિયેત યુનિયને, બ્રિટને, ફ્રાન્સે અને ચીને પરમાણુ શસ્ત્રો વિકસાવ્યાં.
ઈ.સ. 1965માં વિશ્વનાં પાંચ રાષ્ટ્રો પરમાણુ શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બન્યાં. પરમાણૂ શસ્ત્રો બનાવવાની સામગ્રી અને અદ્યતન ટેકનોલૉજી તેમની પાસે હોવાથી તેમણે વધુને વધુ સંહારાક શક્તિ ધરાવતાં પરમાણુ શસ્ત્રો બનાવ્યાં.
આ સાથે તેમણે પરમાણુ શસ્ત્રો હજારો કિલોમીટર દૂર આવેલાં નિશ્ચિત લક્ષ્યાંકો પર છોડી શકાય એવાં મધ્યમ અને લાંબા અંતરનાં મિસાઈલો વિકાસ કર્યો.
વિશ્વ આજે માત્ર મનુષ્યો જ નહિ પરંતુ સમગ્ર જીવસૃષ્ટી સાથે સમગ્ર વિશ્વનો અનેક વખત વિનાશ કરી શકે એટલા મહાસંહારક શસ્ત્રોના જ્વાળામુખી પર બેઠું છે.
ટુંકનોંધ લખો.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન
ટુંકનોંધ લખો.
જર્મન ચમત્કાર
ભારત અને યૂ.એસ.એ. વચ્ચેના સંબંધોની સંક્ષેપમાં ચર્ચા કરો.