CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
હવે મારી ચિંતા કોણ કરશે ?
માની ગોદ એટલે સંતાનનું સ્વર્ગ, સર્વસ્વ.
માનો ખોળો ક્યાં મળશે ?
રાજેન્દ્ર પટેલ
ચંદ્વકાંત શેઠ
હરીન્દ્ર દવે
મા વિના સુનો સંસાર
માની ગરજ કોઈ ન સારે
માગ્યા વગર કોઈ ના પીરસે
મા તે મા બીજા વગડાના વા
‘ગોદ માતની ક્યાં ?’ ગીતમાં કવિએ આદિથી અંત સુધી માની મમતા માટેનો ઝુરાપો વ્યક્ત કર્યો છે. કવિને દુનિયાની કોઈ પણ મૂલ્યવાન વસ્તુ માતાનાં પ્રેમ-વાત્સલ્ય પાસે ફિક્કી લાગે છે. જેમાં માતનો હુંફાળો સ્પર્શ ન હોય એનું મુલ્ય શું ? કવિ વારંવાર પ્રશ્ન પુછે છે કે જીવનમાં તમામ પ્રકારની સુખસાહ્યબી મળશે, પણ એ દરેક વસ્તુમાં માની ગોદ, માની સોડ, માની રાહત, માની વાત્સલ્યપુર્ણ આંખો, માનો પાલવ, માનો મીઠો સાદ, માની હુંફ, માના હેતની હેલી, માની છાયા ને માની માયા ક્યાં છે ? એનો અભાવ સતત સાલે છે. માતૃમહિમાને બિરદાવતા આ ગીતને કવિએ ઉપમા અને રૂપક અલંકારોથી સમજાવ્યું છે. ‘ભર્યા ઉનાળે પરબ સરીખી માની માયા’ અને ‘બારે ઉમટે હેતની હેલી માની’ જેવા શબ્દો હ્રદયને સ્પર્શી જાય છે. ‘ગોદ માતની ક્યાં ? થી શરૂ થતી લયબદ્વ પ્રશ્નાવલી ‘માયા માની ક્યાં?’ આગળ વિરમે છે, ત્યારે એમ લાગે છે કે આ પ્રશ્નો નથી, પણ કવિના મનમાં સાલતી માની અધુરપ અને માનો ઝુરાપો છે.