Chapter Chosen

પ્રથમ વિશ્વયુદ્વ અને રશિયન ક્રાંતિ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ટુંકનોંધ લખો. 
રશિયન કાંતિ


Advertisement

પ્રથમવિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો જણાવો. 


પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદારપરિબળો નીચે મુજબ છે.

1. આર્થીક પરિબળ : ઔધ્યોગિક ક્રાંતિ અને સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને કારણે યુરોપના દેશોએ પુષ્કળ કાચા માલની જરૂર પડતી હતી.

19મી સદીને અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકાનાં બજારોમાં ઈંગ્લૅન્ડ તથા ફ્રાન્સની તુલનામાં માલ ઓછી કિંમતે વેચવા માંડ્યો. આ રીતે તેણે ઈંગ્લૅન્ડ અને ફ્રાંસનાં એશિયા તથા આફ્રિકાના બજારોતોડવા માંડયાં. પરિણામેજર્મનીને ઈંગ્લૅન્ડ અને ફ્રાંસ સાથે તીવ્ર આર્થિકસ્પર્ધા થઈ.

2. લશ્કરવાદ : પાડોશી દેશોના આક્રમણના ભય અને શંકાથી ઈંગ્લૅન્ડ, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, રશિયા વગેરે દેશોએ સ્વરક્ષણના બહાનાં હેઠળ પોતાના લશ્કર અને શસ્ત્રસામગ્રીમાં વધારો કરવા માંડ્યો.

આમ, આર્થિક સ્પર્ધામાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતાં યુદ્ધનું વાતાવરણ સર્જાયું.

3. જૂથબંધીઓ-ગુપ્ત સંધિઓ : ઈ.સ. 1914 પહેલાં એક બાજુ જર્મની, ઑસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા, તુર્કીનું જુથ, તો બીજી બાજુ ઈંગ્લૅન્ડ, ફ્રાંસ, રશિયા, અને જાપાનનું જૂથ રચાયું હતું.

યુરોપની સત્તાઓ જુતબે જુથમાં વહેંચાઈ ગઈ હતી. આબંને જુથો વચ્ઈસચે ઈર્ષ્યા, દુશ્મનાવટ, આશંકા, ભય, તિરસ્કાર અને સંઘર્ષની સ્થિતિ સર્જાઈ. પ્રથમ વિશ્વયુદ્ધનું આ મહત્વનું પરિબળ હતું.

4. ઊગ્ર રાષ્ટ્રવાદની ભાવના : બેલ્ઝિયમ અને ગ્રાસની સ્વતંત્રતા તેમજઈટાલી અનેજર્મનીનું એકીકરણ થયું. યુરોપમાં આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણો, પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદની અત્યંત વૃદ્ધિને કારણે એકબીજાં રાહિરષ્ટ્રોના હિતો ટકરાવાં લાગ્યાં.યુરોપનાં આગળ પડતાં રાષ્ટ્રોએ પોતાની પ્રજાને ઉગ્ર અને આક્રમક દેશભક્તિના પાઠો શિખવાડ્યા, પોતાના દેશ માટે પ્રેમ અને બીજાં રાષ્ટ્રો પ્રત્યેની ઘૃણાને ઉત્તેજન આપવા માંડ્યું. જર્મનીનો સમ્રાટૅ કૈસર વિલિયમ બીજો અત્યંત મહત્વકાંક્ષી અને સામ્રાજ્યવાદી હતો. તેવિશ્વપ્રભુત્વની નીતિમાં માનતો હતો. તે પોતાની પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી ઈંગ્લૅન્ડ અને ફ્રાન્સને ડરાવીને પોતાનું ધાર્યું કરવા ઈચ્છતો હતો. વિલિયમની નીતિએ જર્મની અને સમગ્ર વિશ્વને યુદ્ધના મુખમાં ધકેલ્યું.

5. વર્તમાન પત્રોનો ફાળો : યુરોપનાં વર્તમાનપત્રોનાં આકરાં ઉશ્કેરીજનક, અતિશયોક્તિભર્યાં અને જુઠાં લખાણોએ યુદ્ધની ભુમિકા સર્જી.

6. યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન : યુરોપમાં બધે ’યુદ્ધ એ જ કલ્યાણ’ની નીતિએ જોર પકડ્યું.

ટ્રિટસ્કે નામના જર્મન લેખકે ’શક્તિમાનને જીતવાનો હક છે’ અને ‘યુદ્ધ એ રાષ્ટ્રીય જરૂરિયાત છે.’ ના સિદ્ધાંતો પ્રચલિત કર્યા.

નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને ‘પવિત્ર કાર્ય ગણાવ્યું.

7. તાત્કાલિક કારણ : ઑસ્ટ્રિયાના રાજકુમાર આર્કડ્યૂક ફર્ડિનાન્ડ અને તેની પત્નિનાં બૉસ્નિયાની રાજધાની સારોજેવોમાં સર્બિયાની ‘કળા હાથ’ નામની ઉગ્ર સંસ્થાના સભ્યે ખૂન કર્યાં.

આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઑસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં તેના ગુનેગારોને પકડી ઑસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરીનામું આપ્યું. સર્બિયાની સલીલ સાંભળી નહિ અને 28 જુલાઈ 1914ના રોજ તેણે સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું.

આમ, ઑસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નિના ખૂનનો બનાવ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બન્યું.


Advertisement
પ્રથમવિશ્વયુદ્ધના પરિણામો લખો. 

પશ્ચિમ યુરોપ, એશિયા અને આફ્રિકામાં સંસ્થાનોસ્થાપવાની પ્રક્રિયા વર્ણવો. 

ટુંકનોંધ લખો. 
પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ 


Advertisement