CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
શહેરની વસ્તીમાં વધારો ચાલુ રહે અને વ્યાપાર ઉદ્યોગોનો વિસ્તાર વધતો જાય છે તેની સાથે અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે. શહેરીકરણના લીધે ગંદા વસવાટોનું નિર્માણ થાય છે.
1. મહાકાય શહેરોમાં વસ્તીની અતિશય ગીચતાને કારણે રહેઠાણો ખુબ મોંઘા હોય છે. પરિણામે લાખો ગરીબ લોકોને પ્રાથમીક સુવિધાઓ પણ ન ધરાવતાં ગંદા ઝુંપડાંમાં રહેવું પડે છે.
2. ગંદા વસવાટો એ મહાનગરોની વિકટ સમસ્યા છે. સ્થળાંતર કરીને મહાનગરોમાં આવતા ગરીબ લોકો ખુલ્લી જગ્યાઓમાં નાનાં ઝુંપડાં બાંધીને રહે છે. આવાં સ્થળોમાં પાણી, જાજરૂ, ગટર, હવા-ઉજાસ, સ્વચ્છતા, રસ્તા, વિજળી વગેરેના અભાવ હોય છે. તેથી એ વિસ્તારમાં ગંદકીનું પ્રમાણ ઘણું વધી જાય છે.
3. ગંદા વસવાટો ગરીબોની રહેઠાણની જરૂરીયાતના કારણે ઊભા થાય છે. આ ઘરો જુદા જુદા પ્રકારની સામગ્રીમાથી બનાવેલાં હોય છે. આ વસાહતોનાં ઘરોની ગીચતાના કારણે પરિસ્થિતિક તંત્ર બગડે છે તેમજ ગંભીર સામાજીક સમસ્યાઓ પેદા થય છે.
4. ગંડા વસવાટોની ગલીઓ એટલી સાંકડી હોય છે કે ત્યાં સાઈકલ પણ ન જઈ શકે. સંપૂર્ણ ક્ષેત્રમાં નાની ખીલીઓ હોય છે. આ વસ્તીનાં ઘરોનાં છાપરાં ગડીવાળાં પતરાંથી ઢાકેલાં છે. ઠેરઠેર દુર્ગધ મારતાં કચરાના ઢગલા જોવા મળે છે.