Chapter Chosen

ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં કેટલીક સમસ્યાઓ અને પ્રશ્નો

Book Chosen

ભૂગોળ ધોરણ 12

Subject Chosen

ભૂગોળ્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
અવાજનું પ્રદુષણ

ગંદા વસવાટોનું નિર્માણ કેવી રીતે થાય છે ? વિગતે જણાવો.

પ્રદુષણ એટલે શું ? પ્રદુષણના પ્રકારો જણાવો.

ઍફલ્યુએન્ટ ચૅનલ શુ છે ? તે ક્યા આવેલી છે ?

Advertisement
શહેરોના કચરાના નિકાલ વિશેની માહિતી આપો. 

શહેરોનાં રહેઠાણોના તથા જાહેર સંસ્થાઓ ઘન કચરો ઉત્પન કરે છે. ધૂળ, રેતી, રોડાં, કાગલ, પ્લાસ્ટિકની થેલીઓ, નાની મોટી નકામી ચીજવસ્તુઓ, અન્ય ઘન પદાર્થો, વંસ્પતિજન્ય પદાર્થો, પ્રાણીઓના મૃતદેહો, મળ, છાણ વગેરે શહેરોનો ઘન કચરો છે. આ ઘન કચરાના નિકાલની વ્યવસ્થા મ્યુનિસિપાલિટી અથવા કૉર્પોરેશન દ્વારા કરવામાં આવે છે.

1. વનસ્પતિનાં ખરેલાં સુકા પાન, કાગળના ટુકડા, પ્લાસ્ટિકની થેલીઓ વગેરેને ભેગા કરીને સળગાવી
દેવામાં આવે છે.

2. મોટી હોસ્પિટલોમાંથી ઉત્પન્ન થતો મેડિકલ વેસ્ટ શહેરની દુર ફેકવામાં આવે છે અથવા તેને સળગાવી દેવામાં આવે છે.

3. ઘન કચરો વધારાની જમીનને નવસાધ્ય કરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. નદી કિનારાનો વિસ્તાર તથા તળાવો પૂરીને તેમજ સમુદ્વ્ર કિનારાના નજીકના છીછરા વિસ્તારોમાં પુરાણ કરીને વધારાની જમીન પ્રાપ્ત કરવામાં આવે છે. અમદાવાદમાં સરદાર પુલના પૂર્વ ભાગમાં સાબરમતી કિનારાના વિસ્તારમાં ઘન કચરાનું પુરાણ કરીને જમીન નવસાધ્ય કરવામાં આવી છે. આ જમીન ઉપર ફુલ બજાર અને શાકભાજી વેચનારાઓનું પાથરણા બજાર તૈયાર કરવામાં આવ્યું છે.

4. મુંબઈના દરિયાકિનારાના ઘણા મોટા વિસ્તારમાં પુરાણ કરીને જમીન નવસાધ્ય કરવામાં આવી છે.

5. ઘન કચરાના નિકાલની વ્યવસ્થા માટે સરકારે કેટલાક કાયદા પણ બનાવવામાં આવ્યાં છે.


Advertisement
Advertisement